સુરેન્દ્રનગરના વાલેવડા ગામ પાસે અકસ્માતની ઘટના બની. જેમાં કારનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો. મળતી માહિતી મુજબ કારનું ટાયર ફાટતા કાર પલટી ગઈ. જેને લઈને ઘટનાસ્થળે બે લોકોના મોત થયા. જેની જાણ પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી.
આ ઘટના અંગે મળતી બહુચરાજી તાલુકાના શંખલપુર ગામના તથા હાંસલપુર ગામના 2 વ્યક્તિ રવિવારે મોડી સાંજે ઇન્ડીગો ગાડીમાં સવાર થઇને સુરેન્દ્રનગર દવાખાને જવા નીકળ્યા હતા. જો કે, નાવિયાણી અને વાલેવડા ગામ વચ્ચે આવેલા જોગણી માતાજીના મંદિર નજીક કારનું પાછળનું વ્હીલ અચાનક ફાટતા ચાલકે સ્ટિંયરીંગ પરથી કાબૂ ગુમવાતા કાર પલટી હતી.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 27, 2019
અકસ્માતની આ ઘટનાને પગલે આસપાસના લોકો તાત્કાલિક અસરથી દોડી આવ્યા હતા અને કારમાં સવાર લોકોને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, આ અકસ્માત એટલો ગમખ્વાર હોવાથી બંન્નેના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા.
આ બનાવ અંગેની જાણ થતાં જ નજીકના પોલીસ મથકેથી પોલીસ કાફલો ઘટના સ્થળો દોડી આવ્યો હતો અને પ્રાથમિક તપાસ હાથ ધરીને મૃતકોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવેલ. પ્રાથમિક તપાસમાં બંન્ને મૃતકો મામા-ભાણેજ હોવાનું ખુલવા પામેલ.