ખેડાના કઠલાલ-કપડવંજ રોડ પર ઓવરટેક કરવા જતા કાર ટેન્કરમાં ઘુસી જતા સર્જાયો ગમખ્વાર અકસ્માત, ભયંકર અકસ્માતમાં સુરેન્દ્રનગરના 5 લોકોના મોત
કઠલાલ કપડવંજ રોડ પર ગવમખાર અકસ્માત
મોડી રાત્રે સર્જાયેલા અકસ્માતમાં 5 લોકોના મોત
રોડ પર ઓવરટેક કરવા જતા ટેન્કરમાં ઘુસી કાર
કઠલાલ-કપડવંજ રોડ ઉપર મોડી રાત્રે ગમખ્વાર સર્જાયો છે, અકસ્માત એટલો ગંભીર હતા તો આસપારના લોકો પણ અકસ્માતની જાણ થતા ઘટના સ્થળે દોડી આવ્યા હતા.. પોરડા પાટિયા નજીક સર્જાયેલા અકસ્માતમાં પાંચ લોકોના કરુણ મોત નિપજ્યા છે, જ્યારે અન્ય ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
મૃતકોમાં 3 સુરેન્દ્રનગરના અને 2 અમદાવાદના
મળતી જાણકારી પ્રમાણે ખેડામાં ગમખ્વાર અકસ્માતમાં મૃત્યુઆંક 5 પર પહોંચ્યો છે. કઠલાલ-કપડવંજ રોડ પર કાર અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાતા અત્યાર સુધીમાં પાંચ લોકોના મોત નિપજ્યા છે, મૃતકોમાં 3 લોકો સુરેન્દ્રનગરના અને 2 અમદાવાદના હોવાનું સામે આવ્યું છે, મુત્યું અંગે પરિવારને જાણ થતા પરિવારજનોમાં શોકનો માહોલ ફેલાઈ ગયો છે, તો પોલીસે મૃતદેહોને પીએમ અર્થે ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
કઠલાલ કપડવંજ રોડ પર ગવમખાર અકસ્માત
કઠલાલ કપડવંજ રોડ પર મોડી રાત્રે ગંભીર અકસ્માતની ઘટના સામે આવી હતી. જેમાં પૂરપાટ ઝડપે આવી રહેલી કાર ધડાકાભેર ટેન્કર સાથે અથડાઈ હતી, આ ઘટનામાં ચાર લોકોના મોત નિપજ્યા છે. જ્યારે અન્ય લોકો ઈજાગ્રસ્તોને સારવા અર્થે ખસેડાયા છે, ઘટનામાં મુત્યુ પામનાર લોકો સુરેન્દ્રનગરના હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે.
મોડી રાત્રે અકસ્માતમાં 4 લોકોના મોત
અકસ્માતના બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી તો અકસ્માતને પગલે રોડ પર ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાયા હતા. પોલીસ ટ્રાફિકને નિયંત્રિત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતકોને પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે પોલીસે પરિવારને જાણ કરતા પરિવારમાં પણ શોકનો માહોલ છવાઈ ગયો હતો.