ભાવનગર-તળાજા હાઈવે પર ભયાનક અકસ્મતા સર્જાયો છે. ભાવનગર-તળાજા હાઈવે પર શેત્રુંજી પુલ પાસે કાર અને આઇસર વચ્ચે અકસ્માત સર્જાતા 4 લોકોના મૃત્યુ નીપજ્યાં છે.
ભાવનગર-તળાજા હાઇવે પર અકસ્માત
કાર અને આઇસર વચ્ચે ગમખ્વાસ અકસ્માત
4 લોકો કરૂણ મોત, પોલીસે હાથ ધરી તપાસ
રાજ્યમાં અવારનવાર અનેક અકસ્માતના બનાવો સામે આવતા રહે છે અને આ કરુણ બનાવમાં નિર્દોષ વ્યક્તિઓને પણ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવે છે. ઝડપની મજા મોતની સજા બનતા થોડી ક્ષણ પણ લગતી નથી. ત્યારે હાલ ભાવનગર જિલ્લામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ભાવનગર-તળાજા હાઈવે પર શેત્રુંજી પુલ પાસે કાર અને આઈસર વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો છે. જેમાં 4 લોકોના કરૂણ મૃત્યુ નીપજ્યાં છે.
પોલીસનો કાફલો પહોંચી ગયો ઘટનાસ્થળે
મળતી માહિતી અનુસાર, ભાવનગર તળાજા નેશનલ હાઈવે શેત્રુંજી પુલ પાસે કાર અને આઈસર વચ્ચે અકસ્માત સર્જાયો છે, આ અકસ્માતને પગલે લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા છે. આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો છે. અકસ્માત એટલો ભયાનક હતો કે, કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. કારના આગળના બોનેટથી લઈને સમગ્ર કારનો કચરઘાણ વળી ગયો હતો. આ દુર્ઘટનામાં 4 લોકોના કરુણ મોત નિપજતા શોકનો માહોલ પ્રસર્યો છે.
મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી
પોલીસની પ્રાથમિક તપાસમાં તમામ મૃતકો મહુવાના નેપ ગામના હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે આ અકસ્માત અંગે મૃતકોના પરિવારજનોને જાણ કરીને તમામના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી છે.