ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે હાઇવે પર અકસ્માતની ઘટના સામે આવી છે. અજાણ્યા વાહન સાથે કાર અથડાતાં અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર બે વ્યક્તિઓના ઘટનાસ્થળે મોત થયાં છે. આ ઘટનાની જાણ થતા પોલીસકર્મીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને કાર્યવાહી હાથધરી છે.
આ ઘટના અંગે મળતી જાણકારી મુજબ ભરૂચ અને અંકલેશ્વર હાઇવે ગત મોડી રાતે અજાણ્યા વાહન સાથે કાર અથડાવાની ઘટના બનતા કારમાં સવાર 2 વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા.
જો કે આ ઘટના અંગેની જાણ નજીકના પોલીસ મથકે થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.
આ બનાવ કેવી રીતે બનવા પામ્યો તે અંગેનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. પરંતુ આ અકસ્માતમાં વેગનઆર કારનો ભૂક્કો બોલી ગયો હતો. આ મામલે પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.