અમદાવાદ-ધંધુકા હાઈવે ઉપર બસનો અકસ્માત સર્જાયો, સદનસીબે મોટી જાનહાનિ ટળી
અમદાવાદ-ધંધુકા હાઈવે ઉપર બસ પલટી
30 જેટલા મુસાફરોને નાની-મોટી ઈજા
સ્ટિયરિંગ ઉપરથી કાબૂ ગુમાવતા અકસ્માત
અમદાવાદ-ધંધુકા હાઈવે ઉપર બસનો અકસ્માત સર્જાયો હતો જો કે સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી, બસ ચાલકે અચાનક સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો જેમાં બસમાં સવાર 30 જેટલા મુસાફરોને નાની મોટી ઈજા થઈ હતી.
30 જેટલા મુસાફરોને નાની-મોટી ઈજા
ભાવનગર દર્શને જતા લોકોને અકસ્માત નડ્યો હતો જો કે મોટી દુર્ઘટના ટળી ગઈ છે. બસ ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબૂ ગૂમાવતા બસે પલટી મારી હતી જેમાં 30 જેટલા મુસાફરોને નાની મોટી ઈજા થઈ છે જો કે સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી છે શું બસ ચાલક કોઈ નસો કરીને બસ ચલાવી રહ્યો હતો તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે.
સ્ટિયરિંગ ઉપરથી કાબૂ ગુમાવતા અકસ્માત
અવાર નવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે કેટલીકવાર બસ ચાલકની બેદરકારી પણ હોવાનું પણ સામે આવતું હોય છે, એવા ઘણા કિસ્સાઓ સામે આવે છે જેમાં ચાલક નસામાં કે પોતાની ધૂમાં મસ્ત બની મુસાફરોના જીવને જોખમ મુકતો હોય છે, એવું પણ જોવા મળતું હોય છે તે બસ ચાલક ચાલું બસમાં મોબાઈલમાં મસ્ત બની વાતો કરતો હોય છે એવા પણ ઘણા વીડિયો વાયરલ થતા હોય છે, ત્યારે અકસ્માતની આ ઘટનાને લઈ તપાસ કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે, જો કે હાલ જો સરનસીબે મોટી જાનહાનિ ટળી ગઈ છે પરતું જો મોટી દુર્ઘટના સર્જાઈ હોય તો કોણ જવાબદાર હોત તેને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે.