ટ્રેન દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત મુસાફરોને લઈ જઈ રહેલી બસને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માત પીકઅપ વાન સાથે અથડાયા બાદ થયો હતો.
ટ્રેન દુર્ઘટનામાં ઘાયલ થયેલ લોકોને અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ
ઈજાગ્રસ્ત મુસાફરોને લઈ જઈ રહેલી બસને અકસ્માત નડ્યો હતો
અકસ્માત પીકઅપ વાન સાથે અથડાયા બાદ થયો હતો
ઓડિશાના બાલાસોરમાં ટ્રેન દુર્ઘટનામાં ઘાયલ થયેલા 900થી વધુ લોકોને અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કેટલાક લોકોને સારવાર માટે પડોશી રાજ્ય પશ્ચિમ બંગાળમાં પણ મોકલવામાં આવ્યા છે. એવામાં વધુ એક દુર્ઘટના બની છે. જણાવી દઈએ કે ઈજાગ્રસ્ત મુસાફરોને લઈ જઈ રહેલી બસને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માત બંગાળના પશ્ચિમ મેદિનીપુર જિલ્લામાં થયો હતો. મળતી માહિતી મુજબ આ અકસ્માત પીકઅપ વાન સાથે અથડાયા બાદ થયો હતો.
અહેવાલ મુજબ આ બેવડા અકસ્માતને કારણે ઈજાગ્રસ્ત મુસાફરોને પણ ઈજાઓ પહોંચી છે. પોલીસ ઘાયલોને ત્યાંથી બહાર કાઢીને બસ અલગ-અલગ જગ્યાએ લઈ જઈ રહી છે. અકસ્માત બાદ નેશનલ હાઈવે પર જામ થઈ ગયો હતો. અકસ્માતનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં બસના આગળના ભાગને નુકસાન જોવા મળી રહ્યું છે. પીકઅપ વાન ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત જોવા મળી રહી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મેદિનીપુરમાં નેશનલ હાઈવે 60 પર એક પીકઅપ વાન અને બસ સામસામે અથડાયા હતા. આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ ન હતી અને લોકોને નાની મોટી ઈજાઓ થઈ હતી. ઘટનાને પગલે હાઈવે પર ભારે જામ થઈ ગયો હતો. અન્ય એક ઘટનામાં, બાલાસોરથી પશ્ચિમ બંગાળ જતી સાત ઘાયલ મુસાફરોને લઈ જતી બસ શનિવારે પશ્ચિમ મેદિનીપુરના હુસૈનાબાદમાં અકસ્માતનો ભોગ બની હતી, પોલીસે જણાવ્યું હતું. જોકે, કોઈ જાનહાનિ થઈ ન હતી.
ઘટનાસ્થળે હાજર સાક્ષી જણાવ્યું હતું કે,
"આ બસ બાલાસોરથી આવી રહી હતી. બીજી બાજુથી એક પિક-અપ વાન આવી રહી હતી. બસ પીક-અપ વાન સાથે અથડાઈ હતી. બસમાં બેઠેલા લોકોને સામાન્ય ઈજાઓ થઈ હતી. આ એ જ લોકો છે જેઓ બાલાસોરથી ઈજાગ્રસ્ત થયા હતા. તે લોકો મેદિનીપુર આવી રહ્યા હતા. અથડામણ પછી કોતવાલીથી પોલીસ આવી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી.
બાલાસોર ટ્રેન અકસ્માતમાં જીવ ગુમાવનારા 280 થી વધુ લોકોમાંથી 31 લોકો પશ્ચિમ બંગાળના હતા. અત્યાર સુધીમાં ઘણા લોકોની ઓળખ થઈ ચૂકી છે. તે જ સમયે, ઘાયલોમાં ઘણા બંગાળના પણ છે. ટ્રેન દુર્ઘટના બાદ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી આજે (3 જૂન) સવારે બાલાસોર પહોંચ્યા હતા. અહીંથી તેમણે જણાવ્યું કે બંગાળથી બે બસો મોકલવામાં આવી છે. જેમને નાની-મોટી ઈજાઓ થઈ છે તેઓ આ બસોમાં બંગાળ જશે.
આ સિવાય મમતા બેનર્જીએ કહ્યું હતું કે બંગાળ કરતા વધારે લોકો છે. તમામ મૃતકોના પરિવારજનોને પાંચ લાખ રૂપિયા આપવામાં આવશે. સીએમના જણાવ્યા મુજબ, આજે 70 એમ્બ્યુલન્સ મોકલવામાં આવી છે, 40 ગઈકાલે મોકલવામાં આવી હતી. આ સાથે જ બંગાળથી 40 ડોક્ટરોને પણ મોકલવામાં આવ્યા છે.