ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ક્યારેક ઓવરટેક તો ક્યારેક ફૂલ સ્પીડના ચક્કરમાં અકસ્માતના બનાવો બને છે. ત્યારે પાવાગઢમાં દર્શન કરવા આવેલી બસનો અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. વડોદરાથી પાવાગઢ દર્શન માટે બસ કરીને શ્રદ્ધાળુઓ આવ્યા હતા. જેમાં 18 લોકો સવાર હતા.
1 મહિલાનું મોત
પાવાગઢ બાવામાન મસ્જિદ પાસે અકસ્માત સર્જાયો. ખાનગી બસમાં સવાર 18 લોકોમાંથી 1 મહિલાનું મોત નીપજ્યુ જ્યારે 2 લોકોને ગંભીર ઇજા થવા પામી છે. અન્ય 14 લોકોને નાની મોટી ઇજા થઇ છે. ઘટનાને પગલે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હાલોલ ખસેડાયા છે. બસ ચાલકે સ્ટિયરીંગ પરથી કાબૂ ગુમાવતા આ ઘટના બની. પાવાગઢ મહાકાળીમાના દર્શન કરવા આવેલા શ્રદ્ધાળુઓને ડ્રાઇવરની એક ભૂલને કારણે અકસ્માતને ભેટ્યા. આ દ્રશ્યોમાં જોઇ શકાય છે કે આખી બસ પલટી મારી ગઇ. આસપાસના લોકો દ્વારા બસને સીધી કરવામાં આવી . ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો ભેગા થઇ ગયા હતા.
થરાદ-ધાનેરા હાઇવે પર અકસ્માત
હમણા થોડા દિવસો પહેલા એટેલે કે 31 જુલાઇના રોજ થરાદ-ધાનેરા હાઈ-વે ઉપર અકસ્માત સર્જાયો હતો. થરાદના ભોરડુ ગામ નજીક પૂરઝડપે આવતી કાર પલ્ટી ગઈ. પેટ્રોલપંપ પાસે બાઈકને બચાવવા જતા કાર પલ્ટી હોવાનું સામે આવ્યું હતું. જો કે સદનસીબે કારમાં સવાર ત્રણ વ્યકિતનો આબાદ બચાવ થયો હતો. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા.