બનાસકાંઠાના ત્રિશૂલ્યા ઘાટ નજીક અકસ્માતની ઘટના બની છે. જેમાં ત્રિશૂલ્યા ઘાટ નજીક જીપ ડાલાએ પલટી મારી હતી. ત્યારે આ અકસ્માતમાં 9 મુસાફરોના મોત થયા છે.
મળતી માહિતી મુજબ જીપ ડાલાની બ્રેક ફેઇલ થતા અકસ્માત સર્જાયો હતો. તો આ જીપ ડાલામાં 25 જેટલા મુસાફરો સવાર હતા. જો કે, ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં છે.
આ જીપ 25 જેટલા મુસાફરોને લઇને જઇ રહી હતી તે દરમિયાન ત્રિશૂલ્યા ઘાટ નજીક પહોંચતા અકસ્માત નડ્યો હતો. પ્રાથમિક માહિતી અનુસાર બ્રેક ફેઇલ થઇ જતા જીપે પલટી મારી હતી. જેને લઇને ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 9 મુસાફરોના મોત થયા છે. જ્યારે અન્ય મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે. તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
અકસ્માત સર્જાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. આસપાસના લોકો બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા. તો પોલીસે પણ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથધરી છે. અકસ્માતની જાણ મૃતકોના પરિવારજનોને કરવામાં આવતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી.
મુખ્યમંત્રીએ આપ્યું નિવેદન
બનાસકાંઠામાં થયેલ અકસ્માતની ઘટનાના પગલે મુખ્યમંત્રી રૂપાણીએ દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું કે, સરકાર દુઃખ અને સંવેદના વ્યક્ત કરે છે. બનાસકાંઠામાં જે થયું તેનું દુઃખ છે. બધી વિગતો મેળવી ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપીશું.