બનાસકાંઠાના ત્રિશૂલ્યા ઘાટ પાસે અકસ્માત થતા 9 મુસાફરોના મોત થયા હતા. આ મામલે 2 લોકો સામે માનવવધની ફરિયાદ થઈ છે. ડ્રાઈવર સહિત 2 લોકો સામે માનવ વધનો ગુનો નોંધાયો છે. દાંતા પોલીસે 2 લોકો સામે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
મહત્વનુ છે કે, બનાસકાંઠાના ત્રિશૂલ્યા ઘાટ પાસે અકસ્માત થતા 9 મુસાફરોના મોત થયા હતા. આ ઘટના બાદ જિલ્લા આરટીઓ અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ત્યારે હવે પોલીસ દ્વારા 2 લોકો સામે ફરિયાદ કરવામાં આવી છે.
બનાસકાંઠામાં અકસ્માત બાદ પણ તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવુ લાગી રહ્યુ છે. વીટીવી દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવતા તંત્રની બેદરકારી સામે આવી છે. VTVના રિયાલિટી ચેકમાં બનાસકાંઠામાં લોકો જોખમી મુસાફરી કરતા જોવા મળ્યા હતા. ત્રિશૂલ્યાના અકસ્માત બાદ પણ ગાડી ચાલકો બેફામ રીતે ગાડીની ઉપર લોકોને બાસી રહ્યા છે.
હાલમાં ઓવરલોડ ગાડીઓ રસ્તા પરચાલી રહી છે. તેમ છતા તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. નાના નાના બાળકો જોખમી મુસાફરી કરી રહ્યા છે. પોલીસ અને તંત્રની મીઠી નજર હેઠળ મોતની મુસાફરી થઈ રહી હોય તેવુ લાગી રહ્યુ છે. મહત્વનુ છે કે, બનાસકાંઠાના ત્રિશૂલ્યા ઘાટ પાસે અકસ્માત થતા 9 મુસાફરોના મોત થયા હતા. આ ઘટના બાદ જિલ્લા આરટીઓ અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.