નવસારીના નેશનલ હાઈવે નંબર 48 પાસે ધોળાપીપળા ગામ પાસે ગમખ્વાર અકસ્માતમાં છ લોકોનાં મોત થયા છે. ત્રણ લોકોનાં ઘટના સ્થળે મોત થયા તો ત્રણ લોકોનાં સારવાર દરમિયાન મોત થયા હોવાનું સામે આવ્યું છે.
નવસારીના નેશનલ હાઈવે નંબર 48 પાસે ધોળાપીપળા ગામ પાસે ગમખ્વાર અકસ્માતમાં છ લોકોનાં મોત થયા છે. ત્રણ લોકોનાં ઘટના સ્થળે મોત થયા તો ત્રણ લોકોનાં સારવાર દરમિયાન મોત થયા હોવાનું સામે આવ્યું છે.
તો અન્ય છ લોકોને ગંભીર ઈજા થતા તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. મૃતકોમાં ત્રણ સુરતના વેસુગાની નંદિની -3 સોસાયટીના રહીશો છે. આ લોકો ચૈત્રી નવરાત્રી હોવાથી દહાણુના મહાલક્ષ્મી મતાજી અને વલસાડના વિશ્વંભરી માતાજીના દર્શન માટે ગયા હતા.
દર્શન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે ટ્રાવેલ્સ બસમાં પંચર પડતા ટ્રાવેલ્સના ચાલકે બસ ટ્રાવેલ્સને સાઈડમાં પાર્ક કરી હતી. સાઈડમાં બસને પાર્ક કરીને ટાયર બદલી રહ્યા હતા ત્યારે અચાનક એક કન્ટેનરના ચાલકે ટ્રાવેલ્સ બસને પાછળથી ટક્કર મારતા દુર્ઘટના સર્જાઈ હતી.
જેમાં 3 લોકોનાં ઘટના સ્થળે અને ત્રણ લોકોનાં સારવાર દરમિયાન મોત થયા હતા. તો પોલીસે પણ ઘટના બાદ કન્ટેનર ચાલક સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.