ઉત્તરપ્રદેશના ઝાંસીના ટોડી ફતેપુરમાં મોટી રોડ દુર્ઘટના સર્જાઇ છે. જેમાં 8 લોકોના મોત થયા છે, જ્યારે 12થી વધુ લોકો ગંભીરરીતે ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને મઊરાનીપુર હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. આ દુર્ઘટના ટ્રક અને મેક્સી વચ્ચે ટક્કર થતા બની છે.
ઝાંસીના ટોડી ફતેહપુરમાં રોડ અકસ્માત
દુર્ઘટનામાં 8ના મોત, 12થી વધુ લોકો ઇજાગ્રસ્ત
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે મૃતકોના પરિવારજનોને 2-2 લાખ રૂપિયા અને ગંભીરરીતે ઇજાગ્રસ્ત લોકોને 50-50 હજાર રૂપિયા આર્થિક સહાય આપવાનું એલાન કર્યું છે.
દુર્ઘટનાની જાણકારી મળતા જ થાણેની પોલીસ ઘટના સ્થળે પહોંચી અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. જ્યારે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે.
UP: 8 killed, over 6 injured in Jhansi road mishap