સુરેન્દ્ર નગરથી માઠા સમાચાર આવ્યા છે. ગોઝાર અકસ્માતમાં કાર ભડભડ સળગી ઉઠી હતી જેમાં 7 લોકો જીવતા ભુંજાઈ ગયા છે.
પાટડી તાલુકાના ખેરવા ગામ પાસે અકસ્માત
ડમ્પર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત
અકસ્માતમાં કાર સળગી જતા 6 ના મોત
ચોટીલા દર્શન કરી પરત ફરી રહેલા દર્શનાર્થીને વહેલી સવારે અકસ્માત નડ્યો હતો. સુરેન્દ્રનગરના પાટડીના ખેરવા ગામ પાસે ગોઝારો અકસ્માત થયો છે. ડમ્પર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં કાર સળગી ઉઠી હતી જેને પગલે 7 લોકોના મોત થયા છે. ડમ્પર ચાલક અકસ્માત બાદ ડમ્પર મૂકી નાસી છૂટયો છે.
કારમાં 8 લોકો સવાર હતા જેમાંથી 7 લોકોના મોત થયા છે. ઘટનામાં એક મહિલાનો આબાદ બચાવ થયો છે તમામ મૃતકો એકજ પરિવારના હતા.