કોરડા અને નાનાપુરનો એક પરિવાર ચોટીલાથી દર્શન કરીને પરત ફરી રહ્યો હતો ત્યારે સુરેન્દ્રનગરના ખેરવા ગામે ગોઝારો અકસ્માત થયો હતો જેમાં એક જ પરિવારના 7 લોકોના મોત થતા આક્રંદ મચી ઉઠ્યું હતુ.
સુરેન્દ્રનગરના ખેરવા ગામમાં અકસ્માત
ડમ્પર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત
અકસ્માતમાં કાર સળગી જતા 7 લોકોના મૃત્યુ
ચોટીલાથી દર્શન કરીને પરત ફરી રહેલા પરિવારને ગોઝારો અકસ્માત નડ્યો છે. ડમ્પ ચાલકે કારને અડફેટે લીધી હતી જેને પરિણામે પરિવારમાં બેઠેલા 8 લોકોમાંથી 7 લોકોના મોત થયા છે. અકસ્માત થતાં જ કાર ભળભળ સળગી ઉઠી હતી.
એક જ પરિવારના 7 લોકોના મૃત્યુ
આ ગોઝોરી ઘટનામાં એક મહિલાનો આબાદ બચાવ થયો છે એ સિવાય તેના પરિવારના 7 લોકોના મોત થયા છે. તમામ મૃતકો કોરડા અને નાનાપુરા ગામના રહેવાસી હતા.
ડમ્પર ચાલક ભાગી છુટ્યા
અકસ્માત બાદ ડમ્પર ચાલક ભાગી છુટ્યો હતો. પોલીસે હાલ આ અંગે કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.