ગુજરાતમાં નવા વર્ષમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. આજે એક પછી એક અકસ્માતનોની વણઝાર શરૂ થઈ ગઈ છે. આજે વહેલી સવારથી જ અકસ્માતના સમાચારો મળી રહ્યા છે જેમાં અત્યાર સુધી 15ના મોત થઈ ચુક્યા છે જ્યારે 40થી વધુ લોકો ઘાયલ થઈ ચુક્યા છે.
ગુજરાતમાં અકસ્માતોની વણઝાર
વડોદરામાં 11ના મોત, 17 ઘાયલ
સુરેન્દ્રનગરમાં અકસ્માતમાં 4 વ્યક્તિના મૃત્યુ
નવા વર્ષમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે. આજે એક પછી એક અકસ્માત સર્જાઈ રરહ્યા છે. નવસારી, સુરત, વડોદરા અને સુરેન્દ્ર નગરમાં બેક ટુ બેક અકસ્માતના સમાચાર મળી રહ્યા છે જેમાં વડોદરામાં તો 11 લોકોના મથ થયા છે અને 17 જેટલા લોકો ઘાયલ થયા છે જ્યારે સુરેન્દ્રનગરમાં પણ 4 લોકોના મોત થયા છે. સુરતમાં 20 જેટલા મુસાફરો ઘાયલ થયા છે અને નવસારીમાં પણ 3 લોકો ઘાયલ થયા છે.
વડોદરામાં 11ના મોત, 17 ઘાયલ
વડોદરામાં ટેમ્પો અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. વાઘોડિયા ચોકડી પાસે ગોઝારી દૂર્ઘટના ઘટી હતી. જેમાં અત્યારસુધીમાં 11 લોકોના મૃત્યુ થયુ છે. યાત્રિકો સુરતથી પાવાગઢ ટેમ્પોમાં જતા હતા. 17 યાત્રિકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર અર્થે SSG હોસ્પિટલ ખસેડાયા છે.
સુરેન્દ્રનગરમાં અકસ્માતમાં 4 વ્યક્તિના મૃત્યુ
સુરેન્દ્રનગર-લખતર રોડ પર અકસ્માત સર્જાયો હતો જેમાં 4 લોકોના મોત થયા છે. કોઠારીયા ગામના પાટીયા પાસે કાર ઝાડ સાથે અથડાઈ હતી. કાર ચાલકએ સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો.
સુરત-ધૂલિયા હાઇવે પર અકસ્માત
સુરતમાં કડોદરા બારડોલી રોડ પર અકસ્માત સર્જાયો હતો જેમાં દસ્તાન ફાટક પાસે 2 ખાનગી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 20 જેટલા મુસાફરોને સામાન્ય ઇજા પહોંચી હતી. બંને લકઝરી બસ સામસામે અથડાતા અકસ્માત થયો હતો. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડાયા છે.
નવસારીમાં ખાનગી બસને નડ્યો અકસ્માત
નવસારીમાં નેશનલ હાઈવે નંબર 48 પર અકસ્માત થયો છે. ચીખલી નજીક કન્ટેનરની પાછળ બસ અથડાઈ હતી. MPથી મુંબઈ પાલઘર શ્રમિકોને બસ લઈને જતી હતી. બસના ક્લીનર અને એક બાળકી સહિત 3ને સામાન્ય ઈજા પહોંચી છે. બસમાં સવાર તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો છે.