અમંગળ ઘટનાઓ / જામનગરમાં અકસ્માતથી 3ના મોત, ગુજરાતમાં આજે ઍક્સિડેન્ટમાં કુલ 10થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા

accident in Gujarat 10 plus people death

ગુજરાતમાં આજે મંગળવારના દિવસે અમંગળ ઘટનાઓની વણઝાર લાગી છે. સવારે ભરૂચમાં અકસ્માતમાં એકનું બાળકનું મોત થયુ હતુ જ્યારે મહેસાણામાં 3 શિક્ષકોના મોત થયા હતા. અને સવારે કલોલમાં ગેસલીકેજને કારણે થયેલ બ્લાસ્ટમાં 2 લોકોના મોત થયા હતા. વળી સવારે દમણમાં પણ વેપારીના દીકરાનું અકસ્માતમાં મોત થયું હતુ. ખેડામાં પણ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું હતુ. અને હવે જામનગરમાં 3 લોકોના મોત થયા છે. અમદાવાદથી પાટણ દર્શન માટે જઈ રહેલા એક પરિવારને પણ અકસ્માત નડ્યો હતો જેમાં દીકરીનું મોત થયું હતું.

બ્રેકિંગ ન્યૂઝ