અમદાવાદમાં પાંજરાપોળ પાસે એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો જેમાં ઘટનાસ્થળે જ બે લોકોના મોત થતા રાહદારીઓ રોષે ભરાયા હતા અને બસમાં તોડફોડ કરી હતી. બસ ડ્રાઈવર ફરાર થઈ ગયો છે. હાલ તંત્ર ઘટના સ્થળે દોડી આવ્યુ છે અને તપાસ હાથ ધરી છે.
પાંજરાપોળ પાસે થયો અકસ્માત
ઘટનાસ્થળે જ બેના મોત
રાહદારીઓ ભરાયા રોષ, કરી તોડફોડ
અમદાવાદમાં પાંજરાપોળ પાસે એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો જેમાં ઘટનાસ્થળે જ બે લોકોના મોત થતા રાહદારીઓ રોષે ભરાયા હતા અને બસમાં તોડફોડ કરી હતી.
બસ ડ્રાઈવર ફરાર થઈ ગયો છે. હાલ તંત્ર ઘટના સ્થળે દોડી આવ્યુ છે અને તપાસ હાથ ધરી છે. BRST બસે બાઇક ચાલકને અડફેટે લીધા છે. બે લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે. પાંજરાપોળ પાસે આ અકસ્માત સર્જાયો છે.
યુવાનોએ હેલમેટ પહેર્યા હતા તેમ છતાં અકસ્માતમાં મોત થતા ચકચાર
પાંજરાપોળ ખાતે બેફામ આવતી BRTS બસે બે બાઇકચાલકના અડફેટે લીધી હતા. નયનભાઈ રામ (ઉ. વ 28), જયેશભાઈ રામ (ઉ.વ. 25) બંને ભાઈઓના મોત થતા શહેરમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. બાઈકચાલકે માથે હેલમેટ પહેર્યુ હોવા છતાં પણ મોત થતા શહેરમાં ચર્ચાએ જોર પકડ્યુ છે. જેમાં જયેશના પત્ની મહિલા PSIના પતિ પણ છે.
સ્થાનિકોનો આક્ષેપ સિગ્નલ બંધ હતુ
સ્થાનિકોનો આક્ષેપ છે કે સિગ્નલ બંધ હોવા છતા ડ્રાઇવરે બસ રોકી ન હતી અને બંને બાઇકચાલકોને અડફેટે લીધા હતા. ડ્રાઇવર બસ મૂકી ફરાર થઇ ગયો છે. જેને લઇ સ્થાનિકો રોષે ભરાયા હતા અને બસમાં તોડફોડ કરી હતી અને બસના કાચ તોડી નાખ્યા હતા.
પરિવારજનોના આંક્રદથી પાંજરાપોળ ગાજી ઉઠ્યુ
મૃતકના પરિવારજનો ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે માતાના હૈયાફાટ રુદનથી સમગ્ર વાતાવરણ શોકમય બન્યું હતું. તો રોષે ભરાયેલા લોકોએ તાત્કાલિક BRTS બંધ કરવાની માગ કરી હતી. છેલ્લા બે દિવસથી BRTSના અકસ્માતથી કુલ 5 લોકોના મોત નિપજ્યા છે ત્યારે મોટાભાગના BRTS ડ્રાઇવર ટ્રેનિંગ વિના જ બસ ચલાવતા હોવાનો આક્ષેપ કોંગ્રેસ કર્યો છે.
લોકો ધરણા પર બેઠા વિપક્ષે કર્યા આકરા પ્રહાર
રસ્તા ઉપર જ લોકો રસ્તા રોકો આંદોલન ઉપર બેસી ગયા છે. અકસ્માતમાં મોત થવાને પગલે આજે અમદાવાદમાં ઘમાસાણ મચ્યુ છે જેમાં વિપક્ષના નેતાએ પણ ભડકાવનારુ નિવેદન આપતા લોકો ઓર રોષે ભરાયા છે. બસને તોડફોડ કરવામાં આવી રહી છે.