આણંદ તારાપુર હાઇવે પર ઇન્દ્રણજ નજીક વહેલી સવારે ટ્રક અને ઇકો વચ્ચે ધડાકાભેર અથડાતા 10 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે.
તારાપુર પાસે ગમખ્વાર અકસ્માત
10 લોકોના મૃત્યુ
ઈકો કાર અને ટ્રક વચ્ચે અકસ્માત
રાજ્યમાં છાશવારે અકસ્માતની નાની-મોટી ઘટના પ્રકાશમાં આવી રહી છે. ત્યારે આજરોજ વહેલી સવારે આશરે 6.30 કલાકની આસપાસ આણંદ તારાપુર હાઇવે ઈકો કારમાં સવાર થઈને લોકો સુરતથી ભાવનગર તરફ જઈ રહ્યા હતા. ત્યારે આ માર્ગ અકસ્માતની ઘટના બની હતી.
કાર અને ટ્રક ધડાકાભેર અથડાયા
બનાવ અંગેની મળતી વધુ જાણકારી પ્રમાણે, કાર અને ટ્રક ધડાકાભેર અથડાતા કારના ભુક્કો થઈ ગયો હતો અને કારમાં સવાર લોકો ચીસો પાડવા લાગતા આસપાસના વિસ્તારમાં રહેતા લોકો અને મુસાફરો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી.
પોલીસે હાથ ધરી તપાસ
કારમાં સવાર 10 લોકોમાં પાંચ પુરુષ, ત્રણ મહિલા અને બે બાળકનો સમાવેશ થાય છે. મોતને ભેટેલો પરિવાર ભાવનગરનો હોવાની માહિતી સામે આવી રહી છે. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી.
કાર ટ્રકના નીચેના ભાગમાં ઘૂસી
અકસ્માતનો ભોગ બનેલી ઇકો કાર તારાપુરથી વટામણ તરફ જઈ રહી હતી. જણાવી દઇએ કે, ટક્કર એટલી જોરદાર હતી કે ઈકો કાર અડધી ટ્રકના નીચેના ભાગમાં ઘુસી ગઈ હતી.