સાબરકાંઠાના પ્રાંતિજ નેશનલ હાઇવે-8 પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. પ્રાંતિજના તાજપુર કૂઇ ખાતે અકસ્માત થયો હતો. જેમાં કારચાલક અને કારસવાર મહિલાનું મોત થયું હતું. અકસ્માત સર્જાતા ઘટનાસ્થળે જ બન્નેના મોત થયા હતા.
પ્રાંતિજના તાજપુર કૂઇ ખાતે થયો અકસ્માત
કારચાલક અને કારસવાર મહિલાનું થયુ મોત
રોડ પર પણ ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા
તાજપુર નજીક અકસ્માત કાર અને ટ્રક વચ્ચે ટક્કર થતા સર્જાયો હતો. રાજકોટ જતાં દંપતીનું આ કાર અકસ્માતમાં મોત નિપજ્યું હતું. આ અકસ્માતના પગલે પોલીસ દોડતી થઈ હતી. સાબરકાંઠા પોલીસે અકસ્માતને લઇને ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
આ અકસ્માત એટલો ભયંકર હતો કે ટ્રકની ટક્કરે કારનો એક બાજુનો ભાગ દબાઇ ગયો હતો. જેને લઇને મૃતદેહને બહાર કાઢવા માટે ક્રેઇનનો સહારો લેવો પડ્યો હતો.
અહીં રોડનું કામ ચાલી રહેલ હોવાથી ડાયવર્ઝન અપાતા અકસ્માત થયાના આક્ષેપો લાગી રહ્યા છે. હાઈવે પર લોકોનો રોષ પાઠી નીકળ્યો હતો. મહત્વનું છે કે અકસ્માત સર્જાતા હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઇ હતી. લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા.
જામનગરના જોડિયા નજીક ગમખ્વાર અકસ્માત
જામનગરના જોડિયા નજીક ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી. અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારી હતી. ત્યારે બાઈક સવાર દંપતિનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જો કે અકસ્માત બાદ ચાલક વાહન સાથે ફરાર થઈ ગયો હતો.