પાટણઃ રાધનપુરમા ટ્રેક્ટરમા જતી જાનને અકસ્માત નડ્યો છે. રાધનપુરાના અમીરપુરા ગામના ડાભી પરિવારને જેતલપુર ધરવડી માર્ગ પર અકસ્માત નડ્યો. ટ્રેક્ટરને પાછળથી ટ્રેલરે ટક્કર મારતા અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં 1 બાળકનુ મોત નિપજ્યુ છે.
જ્યારે 26 જાનૈયાઓ ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટનાની જાણ થતા પોલીસકર્મીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્તોને સારવાર માટે 108 મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.
ઉલ્લેખનીય છે કે અકસ્માતની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે ઇજાગ્રસ્તોને સારવાર માટે એમ્બ્યુલન્સ દ્વારા નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ અકસ્માત થતા રોડ પર ટ્રાફિક જામ સર્જાયો હતો. નજીકના વિસ્તારમાંથી લોકોના ટોળે ટોળા બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા.