અમદાવાદ: બાવળા-ચાંગોદર પાસે ત્રિપલ અકસ્માતની ઘટના સામે આવી છે. હાઈવે પર ત્રણ કાર વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં 2 લોકોના ઘટનાસ્થળે મોત નિપજ્યા જ્યારે 11 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. 6 જેટલા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત હોવાના કારણે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.
આ અંગે મળતી માહિતી મુજબ બાવળા ચાંગોદર રોડ પર ઇકો વેગનઆર અને એસન્ટ કારનો ટ્રિપલ અકસ્માત સર્જાયો છે. લીંબડીથી પરિવારજનો અમદાવાદ આવી રહ્યા હતા. આ દરમિયાન કારનું અચાનક ટાયર ફાટી જતાં ડ્રાઇવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. કાબૂ ગુમાવતા જ સામેથી આવતી ઇકો અને વેગનઆર સાથે અથડાઇ હતી. જેના કારણે ગમખ્વાર એક્સિડેન્ટ સર્જાયો હતો.
આ ઘટના બાદ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. તેમજ તાત્કાલિક ઈજાગ્રસ્તોને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.