ખેડામાં ગળતેશ્વરના અંબાવ પાસે વધુ એક અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત ક્રેન અને ST બસ વચ્ચે સર્જાયો છે. 10થી વઘુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જોકે કોઇ જાનહાની થવા નથી પામી.
4 દિવસ અગાઉ આ રોડ પર અકસ્માત સર્જાયો હતો જેમાં 4 લોકોના મોત થયા હતા. ત્યારે વધુ એક અકસ્માત આજે (ગુરૂવાર) સર્જાયો હતો. એસ.ટી. બસ અને ક્રેન વચ્ચે અકસ્માત સર્જાયો છે. જેમાં ક્રેન બસમાં ઘુસી ગઇ છે.
આ અકસ્માતમાં 10થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયાની સંભાવના છે. મહત્વનું છે કે, દુર્ઘટના સર્જાતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી છે. જ્યારે પોલીસ અને સ્થાનિકો દ્વારા બચાવ કામ શરૂ કરાયું છે. મહત્વનું છે 108 એમ્બ્યુલન્સની ગાડીઓ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
ગળતેશ્વરના અંબાવ પાસે વધુ એક અકસ્માત
ક્રેન અને ST બસ વચ્ચે સર્જાયો અકસ્માત
અનેક લોકો ઇજાગ્રસ્ત થયા
પોલીસ અને સ્થાનિકો દ્ધારા બચાવ કામ શરૂ
4 દિવસ અગાઉ ડાકોર-સેવાલિયા રોડ પર સર્જાયો હતો અકસ્માત, 4ના મોત
વડતાલ સ્વામીનારાયણ મંદિરમાં શરદ પૂર્ણિમાના દર્શન કરીને પરત ફરી રહેવા પાંચ હરિભક્તોને અકસ્માત નડ્યો હતો. ડાકોર-ગોધરા રોડ ઉપર ગળતેશ્વરના અંબાવ પાસે સામેથી આવતી ખાનગી બસ સાથે અકસ્માત થતા ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતા જ્યારે એકનું ડાકોર ખાતે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું