હમણાં હમણાં ગુજરાતમાં ગમખ્વાર અકસ્માતની ઘટના વધી રહી છે. અત્યારે ગળતેશ્વરના અંબાવ નજીક ગમખ્વાર અકસ્માત થયો છે. ડાકોર-સેવાલિયા રોડ પર 4 લોકોના મોત થયા છે. જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ છે.
ખેડા જિલ્લામાં બસ અને કાર વચ્ચે ટક્કર
ચાર લોકોના મોત, એક ઇજાગ્રસ્ત
ખાનગી બસે કારને લીધી અડફેટે
ગળતેશ્વર તાલુકાના અંબાવ નજીક રવિવારે ખાનગી બસ ચાલકે કારને અડફેટે લીધી હતી. જેમાં ઘટનાસ્થળે 3 વ્યક્તિના મોત થયા છે. જ્યારે સારવાર દરમિયાન એકનું વ્યક્તિનું મોત થયું છે. જ્યારે અન્ય એક વ્યક્તિની હાલત અતિ ગંભીર છે.
જોકે હજુ સુધી મૃતકોની ઓળખ થઇ નથી. સેવાલિયા પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથધરી છે. આ અકસ્માતના પગલે ઘટનાસ્થળે ટ્રાફિક સર્જાયો હતો. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયા છે.
અમદાવાદમાં 12 વર્ષના સગીરે સર્જ્યો અકસ્માત
અમદાવાદમાં 12 વર્ષના સગીરે અકસ્માત સર્જ્યો છે. સગીરે 10થી 12 વાહનોને અડફેટે લીધા છે. 12 વર્ષનો સગીર કાર લઇને નીકળ્યો હતો તે સમયે ઇસનપુરથી ગોવિંદવાડી રોડ પર 10થી 12 લોકોને અડફેટે લીધા. પોલીસે સગીરને ઝડપી અને તેના માતા-પિતા સામે કાર્યવાહી હાથ ધરી છે.