અરવલ્લી ભિલોડાના મોહનપુર ચોકડી પર અકસ્માત થયો છે. જીપ અને રીક્ષા વચ્ચે અકસ્માત થયો છે. આ અકસ્માતમાં રીક્ષામાં સવાર ત્રણ લોકોના મોત થયો છે. આ ટક્કરમાં રીક્ષાના બે ભાગ થઇ ગયા છે. પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 8, 2019
ઉલ્લેખનીય છે કે, ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને પ્રથામિક વિગત નોંધી તપાસ હાથ ધરી હતી. જો કે, અકસ્માતને પગલે આસપાસના લોકો પણ મદદ માટે દોડી આવ્યા હતા અને બચાવ કાર્ય હાથ ધર્યું હતું.
આપને જણાવી દઇએ કે, અકસ્માત એટલો ભંયકર હતો કે, રીક્ષાના 2 ટૂકડા થઇ ગયા હતા. આ સાથે જ રીક્ષામાં સવાર 3 લોકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. મૃતદેહોને નજીકના દવાખાને પોર્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. હાલ આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.