રાજસ્થાનના જયપુરના શાહપુરા નજીક કાર અકસ્માતમાં ભાવનગરના ચાર પોલીસ જવાનના મૃત્યુ થયા છે.સાથે એક આરોપીનું પણ મોત થયું છે.તમામ પોલીસ જવાનોના નશ્વરદેહને ભાવનગર લાવવામાં આવ્યા હતા.પોલીસ હેડક્વાર્ટર નજીક શહીદ સ્મારક ખાતે સલામી સાથે અંજલિ આપવામાં આવી હતી.DGP આશિષ ભાટીયા, IG અશોક યાદવ, DSP જયપાલસિંહ તેમજ ધારાસભ્ય વિભાવરીબેન દવે અને મેયર કિર્તિબેન સહિતના લોકોએ પુષ્પાંજલિ આપી હતી. આ ઘટના બાદ ભાવનગર પોલીસ બેડમાં શોકનો માહોલ ઉભો થયો હતું.
પોલીસ જવાનોના મૃતદેહને ખાનગી વિમાન દ્વારા જયપુરથી ભાવનગર લવાયા
જિલ્લાના પોલીસ કર્મચારીઓને ફરજ દરમિયાન નડેલા અકસ્માતની જાણ થતાં જ ભાવનગરના ધારાસભ્ય અને કેબીનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ભાવનગર જિલ્લા પોલીસ વડાનો સંપર્ક કરી આ અંગેની વિગતો મેળવી હતી અને મૃતદેહોને જયપુરથી ભાવનગર લાવવા માટે ખાનગી વિમાનની વ્યવસ્થા કરાવી હતી.ત્યારબાદ આ તમામ 4 પોલીસ જવાનોના પાર્થિવ દેહને વિમાન માર્ગે ભાવનગર લાવવામાં આવ્યા હતાં.જ્યાં તેમને સન્માન સાથે સલામી આપીને અંજલિ આપવામાં આવી હતી.
દિલ્લીથી પરત આવતા જયપુર નજીક બનેલી દુર્ઘટનામાં ૪ પોલીસકર્મી તેમજ ૧ આરોપી સહિતના લોકોની માર્ગઅકસ્માતની જાણકારી મળી છે તે અત્યંત દુઃખદ છે.ઈશ્વર સદ્ગતના આત્માને શાંતિ અર્પે તથા પરિવારજનોને આઘાત સહન કરવાની શક્તિ પ્રદાન કરે તેવી ઈશ્વરને પ્રાર્થના.
ૐ શાંતિ..!
दिल्ली से गुजरात अभियुक्त लेकर जा रही गुजरात पुलिस का वाहन जयपुर के भाबरू क्षेत्र में दुर्घटनाग्रस्त होने से 4 पुलिसकर्मियों सहित 5 लोगों की मृत्यु की जानकारी दुखद है। शोकाकुल परिजनों के प्रति मेरी गहरी संवेदनाएं, ईश्वर उन्हें सम्बल दें एवं दिवंगतों की आत्मा को शांति प्रदान करें।
ગુજરાત અને રાજસ્થાનના મુખ્યમંત્રીએ સાંત્વના આપી
આ દુખદ અકસ્માતમાં પોલીસકર્મીઓના મોત અંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતે દુઃખ વ્યક્ત કર્યું છે.
સરકાર દ્વારા મૃતકોના પરિવારજનોને ચાર-ચાર લાખ આપવાની જાહેરાત કરાઈ હતી
તમામ મૃતક પોલીસકર્મીના પરિવારને સરકાર દ્વારા ચાર-ચાર લાખની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી હતી.જ્યારે મૃતકોના વીમા અને અન્ય રકમો મળી હેડ કોન્સ્ટેબલને 1.35 કરોડ મળશે.જ્યારે કોન્સ્ટેબલોને 55 લાખ મળવા પાત્ર થશે.આ ઉપરાંત પોલીસ વેલ્ફરમાંથી તમામમાં મૃતકના પરિવારોને 10-10 લાખ આપવામાં આવશે તેમ પણ જાહેરાત કરવામાં આવી હતી