ભારતે યુરોપીય સંઘને કોવિશિલ્ડ અને કોવેક્સિનને સ્વીકારી લેવાનો આગ્રહ કર્યો છે જો તેઓ આવું નહીં કરે તો જવાબી કાર્યવાહીની પણ ધમકી અપાઈ છે.
યુરોપીય સંઘે હજુ સુધી ભારતીય વેક્સિન સ્વીકારી નથી
ભારતે સંઘને વેક્સિન સ્વીકારવાનો આગ્રહ કર્યો
નહીંતર યુરોપીય પ્રવાસીઓને ક્વોરન્ટાઈન કરાશે
ભારતે યુરોપીયન યુનિયનને જણાવ્યું છે કે જો તે ભારતીય વેક્સિનને મંજૂરી નહીં આપે તો યુરોપથી અહીં આવતા પ્રવાસીઓને 14 દિવસમાં ક્વોરન્ટાઈનમાં રહેવું પડશે. સૂત્રોના જણાવ્યાનુસાર યુરોપિયન યુનિયનના ડિઝિટલ કોવિડ સર્ટિફિકેટમાં કોવિશિલ્ડ અને કોવેક્સિનને અધિસૂચિત કરવી જોઈએ જેથી કરીને ભારતથી ત્યાં જનાર નાગરિકોને કોઈ તકલીફ ન પડે. હાલના સમયમાં કોઈ પણ દેશની યાત્રા માટે વેક્સિન પાસપોર્ટ જરુરી છે.
નોકરી અથવા ભણવા માટે મોટી સંખ્યા ભારતીયો યુરોપીય દેશોમાં જતા હોય છે પરંતુ ભારતીય વેક્સિનને પાસપોર્ટ સાથે સંલગ્નની મંજૂરી ન મળતા તેમને તકલીફ વેઠવી પડે છે. વિદેશ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું કે જો જો યુરોપિયન યુનિયને તેવું આ વલણ ન બદલ્યું તો ભારત પણ વેક્સિનેશનલ સર્ટિફિકેટ અંગે જવાબી નીતિ લાગુ પાડશે. યુરોપિયન યુનિયન આવું નહીં કરે તો ત્યાં વેક્સિન લઈને આવતા પ્રવાસીઓને 14 દિવસના ક્વોરન્ટાઈનમાં રાખવા પડશે.
આખી દુનિયામાં કોરોનાની વેક્સિન લગાવવામાં આવી રહી છે. દરેક દેશમાં 2-4 વેક્સિથી વધારે વેક્સિન નથી. વેક્સિન શરીરને કોરોના સામે લડવામાં મદદ કરે છે તેનો ખુલાસો યૂનિવર્સિટી ઓફ મેરીલેન્ડ યૂસીએચમાં સંક્રામક રોગના પ્રમુખ ડો. ફહીમ યૂનુસે કર્યો છે.
કોવિશિલ્ડ દુનિયામાં પાંચમા નંબરે
ChAdOx1 nCoV-2019 એટલે કે ઓક્સફર્ડ / એસ્ટ્રાજેનેકાની એટલે કે ભારતના સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયામાં બનેલી કોવિશીલ્ડ છે. આ વેક્સિન પાંચમા નંબરે આવે છે. તેની ક્ષમતા 70 ટકાની છે. બંને ડોઝ લીધા બાદ આ વેક્સિનની ક્ષમતા 90 ટકા રહે છે.
ચોથા નંબરે નોવાવૈક્સ કંપનીની વેક્સીન
ચોથા નંબરે નોવાવૈક્સ કંપનીની NVX-CoV2373 વેક્સિન આવે છે. કોરોનાના વિરોધમાં તેની અસરકારકતા 89 ટકા છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં હાલના સમયે ચાર કોરોના વેક્સિનને મંજૂરી મળી ગઈ છે. તાજેતરમાં અમેરિકાની મોડર્ના વેક્સિનને પણ મંજૂરી મળી છે.