ગુજરાતમાંથી ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માટે ACBએ સરકારી કર્મચારીઓ પર તવાઈ શરૂ કરી છે.જેના ભાગરૂપે 2022માં ACB એ 66 ગુના નોંઘીને 101 આરોપીની ધરપકડ કરી છે
ગુજરાતમાં ભ્રષ્ટ સરકારી કર્મચારીઓ પર ACBની તવાઈ
વર્ષ 2022માં 66 ગુના, 101 આરોપીની ધરપકડ
ગુજરાતમાંથી ભ્રષ્ટાચારને નાબૂદ કરવાનો ઉદ્દેશ
ગુજરાતમા એસીબી દ્રારા ભ્રષ્ટ સરકારી બાબુઓ પર તવાઈ શરૂ કરવામા આવી છે. 2022ના વર્ષમા એસીબીએ કરેલા કેસમા સૌથી ભ્રષ્ટ ખાતુ પંચાયત વિભાગ રહ્યું છે તો ગૃહ વિભાગ અને મહેસુલ વિભાગનો બીજો ક્રમ રહ્યો જ્યારે ત્રીજા નંબર પર શહેરી વિકાસ વિભાગ રહ્યું.જેમા ક્લાસ વનના 3 અધિકારી, ક્લાસ 2 ના 15 અધિકારી, ક્લાસ 3ના 44 કર્મચારી અને ક્લાસ 4ના 4 તેમજ ખાનગી 35 લોકોને લાંચ લેતા ઝડપ્યા છે. મહત્વનુ છે કે આ વર્ષમા હજુ એક કેસ અપ્રમાણસર મિલકતનો બહાર આવ્યો છે.
ચાલુ વર્ષમા સૌથી ભ્રષ્ટ ખાતાના આકંડા
પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગૃહ વિકાસ વિભાગ - 18 કેસ
ગૃહવિભાગ - 16
મેહસુલ વિભાગ,- 16
શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણમા - 11
આકંડાઓ પરથી ખ્યાલ આવે છે કે પંચાયત વિભાગ, ગૃહ વિભાગ અને મહેસુલ વિભાગ સૌથી ભ્રષ્ટ વિભાગ તરીકે જોવા મળે છે. એસીબીને પણ અનેક વિભાગમા ભ્રષ્ટાચારને લઈને ફરિયાદ મળી રહી છે..જેથી એસીબીની જુદી જુદી ટીમોએ ખાનગી ડ્રેસમા આ ખાતાઓ પર વોચ રાખી રહી છે અનેલોકોને પણ ભ્રષ્ટાચારને નાંબુદ કરવા જાગૃત કરી રહી છે. આપને જણાવી દઈએ કે, ACB એ ભ્રષ્ટાચારને દૂર કરવા અને લાંચિયા સરકારી બાબુઓને પકડવા એકશન પ્લાન તૈયાર કર્યો છે. તેમજ લોકોને પણ ભ્રષ્ટ અધિકારી કે કર્મચારીને લઈને માહિતી આપવાની અપીલ કરી છે.
આ વિધાનસભામાં ગત 2 વર્ષમાં લાંચિયા બાબુના આંકડા જાહેર થયા હતા
ગત 2 વર્ષમાં રાજ્યમાં ક્લાસ-1 અને ક્લાસ-2ના અનેક અધિકારીઓ લાંચ લેતા ઝડપાયા છે. ક્લાસ-1 અને ક્લાસ-2ના 74 અધિકારી વિરુદ્ધ લાંચ લેવાનો ગુનો નોંધાયો છે. ACBએ વર્ગ-1ના 14 અને વર્ગ-2ના 60 અધિકારીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. સાથે વર્ગ-3ના 253, વર્ગ-4ના 9 અને 141 વચેટીઓ વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી છે. ઉપરાંત 372 કેસોમાં 71 આરોપીની ધરપકડ કરવાની બાકી છે.રાજ્યમાં 2 વર્ષમાં 99 પોલીસકર્મી લાંચ લેતા ઝડપાયા છે.
ભ્રષ્ટવૃત્તિનું દહન ક્યારે થશે?
મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ ગુજરાતમાં નવી સરકાર બનતા જ મહત્વની જાહેરાત કરી હતી. મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ લાંચિયા અધિકારી-કર્મચારીઓને લઇને જનતાને અપીલ કરી છે. રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું કે, કોઇ અધિકારી-કર્મચારી પૈસા માગે તો રેકોર્ડ કરી લો.રેકોર્ડિંગ મને મોકલજો તાત્કાલિક પગલાં લેવાશે.ભ્રષ્ટ વહીવટદારો સામે આ કાર્યવાહીથી અન્ય ભ્રષ્ટ ઓફિસરોમાં પણ ફફડાટ ફેલાયો છે.અને હોવો પણ જોઈએ.કારણ કે અધિકારીઓને કામના બદલામાં ઉચ્ચ વેતન મળે છે.જાતભાતના ભથ્થા મળે છે. તેમ છતાં આવા ભ્રષ્ટ અધિકારીઓ લોકો પાસેથી નાણાં પડાવે છે.જે ક્યારેય ચલાવી ન લેવાય.અહીં કેટલાક સવાલો પણ ઉઠી રહ્યા છે કે અધિકારીઓની ભ્રષ્ટવૃત્તિનું દહન ક્યારે થશે?. લાંચિયાઓની લાલચ પર લગામ કેવી રીતે આવશે? સરકારના મંત્રીની જાહેરાત બાદ હવે લોકોએ જાગવાનું છે અને કોઈ પણ કામ માટે જો સરકારી અધિકારી રૂપિયાની માગણી કરે તો વીડિયો ઉતારી મંત્રીજીને મોકલવાનો છે. મંત્રીએ ખાતારી આપી છે કે વીડિયોની ખરાઈ કરી તાબડતોબ એક્શન લેવાશે.