વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં તોડફોડ બાદ પોલીસ દોડી ગઈ હતી જ્યા કાર્યવાહી કરી 'યુનિવર્સિટી ફરિયાદ કરશે તો કાર્યવાહી કરાશે' તેવી ખાતરી આપાઈ હતી.
એમ.એસ.યુનિવર્સિટીમાં તોડફોડની ઘટના
સિક્યોરિટી અને વિજિલન્સની ઓફિસમાં તોડફોડ
વિદ્યાર્થિનીને પ્રવેશ ન આપતા મચાવ્યો હોબાળો
વિવાદનો વડલો બની ગયેલી વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં ABVP દ્વારા કોન્વોકેશન પૂર્વે વિદ્યાર્થીઓ પાસેથી સ્કાફ અને ફોલ્ડરના નામે 500 રૂપિયા ઉઘરાવી લીધા હતા. જે પરત કરવા અને માર્કશીટ આપવાની માંગ સાથે 3 દિવસથી આંદોલન ચાલી રહ્યું છે. આ મામલે અગાઉ આવેદન પત્ર પણ આપવામાં આવ્યું હતું. ત્યારબાદ આજે એમ.એસ.યુનિવર્સિટીમાં વાઇસ ચાન્સલર સામે ચાલતા આ આંદોલનમાં ABVP કાર્યકરોએ એમ.એસ.યુનિવર્સિટીની સિક્યોરિટી અને વિજિલન્સ ઓફિસમાં તોડફોડ કરી હતી. આ દરમિયાન એબીવીપી દ્વારા વીસી લાપતા બન્યા હોવાના પોસ્ટર્સ લગાવવામાં આવ્યા હતા. વધુમાં વિદ્યાર્થીઓએ વીસીનો ઘેરાવ કરતા સંગઠન અને વિજિલન્સ વચ્ચે બબાલ સર્જાઈ હતી.
અગાઉ અપાયું હતું આવેદનપત્ર
જેમાં એક વિદ્યાર્થીને ઇજા થતાં તે બેભાન થયો હતો. ઘર્ષણ દરમિયાન ઋત્વિક મકવાણા નામના યુવાનને ગંભીર ઇજા થવા પામી હતી. તો ધરણામાં ગરમીને પગલે વિધ્યાર્થીની એકતા કપૂર બેભાન હાલતમાં ઢળી પડી હતી. આ બનેને સારવાર માટે એમ્બ્યુલન્સમા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. માર્કશીટ અને 500 રૂપિયા મામલે આલ્ટીમેટ બાદ ખાતરી આપવામાં આવી હતી. પરંતુ હવે વીસી મળી રહ્યા નથી. આથી તે લાપતા બન્યા હોવાના બેનર્સ સાથે એબીવીપી દ્વારા ધગધગતા તાપમાં ઘરણાં કરવામાં આવ્યા હતા.
PI આર.જી.જાડેજાએ જણાવ્યું કે...
તોડફોડની આ ઘટનાને લઈ એમ.એસ.યુનિવર્સિટીમાં હોબાળો મચી ગયો હતો.આથી તાત્કાલિક સયાજીગંજ પોલીસનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. જ્યા સયાજીગંજ પોલીસ સ્ટેશનના PIએ નિવેદન આપી જણાવ્યું કે એમ.એસ.યુનિવર્સિટી ફરિયાદ નોંધાવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હાલ પરિસ્થિતિ સંપૂર્ણ કાબૂમાં હોવાનું PI આર.જી.જાડેજાએ જણાવ્યું હતું.