દિલ્હીમાં કોરોનાના કમ્યુનિટિ સ્પ્રેડના ભને લઇને ઉપરાજ્યફાલ અનિલ બેઝલની અધ્યક્ષતામાં મંગળવારે DDMAની બેઠક બોલાવી. આ બેઠકમાં ડેપ્યુટી CM મનીષ સિસોદિયા અને આરોગ્ય મંત્રી સતેન્દ્ર જૈન ઉપસ્થિત રહ્યાં. આ બેઠકમાં મનીષ સિસોદિયાએ કહ્યું કે આ રીતે કેસ વધતાં રહ્યાં તો 31 જુલાઇ સુધીમાં પાંચ લાખ સુધી કોરોના કેસ થઇ જશે.
ડિઝાસ્ટર મેનેજમેન્ટ બેઠકની ખત્મ થઇ
મનીષ સિસોદિયાએ નિર્ણય બદલવાનો મુદ્દો ઉઠાવ્યો
LG એ બોલાવી સર્વદળીય બેઠક
આ બેઠકમાં સામેલ થયા બાદ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ કહ્યું કે મે દિલ્હીમાં હોસ્પિટલને બધા દર્દીઓ માટે ખોલવા માટે ઉઠાવ્યો અને LG સાહેબને પૂછ્યું કે સરકારના આ નિર્ણયને કેમ પલટવામાં આવ્યો. જેના પર રાજ્યપાલે કોઇ જવાબ આપ્યો નહીં.
ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ કહ્યું કે, LG ના નિર્ણયથી દિલ્હીવાસીઓ સામે સંકટ ઉભુ થઇ ગયું છે. જે ઝડપથી સંક્રમણ વધી રહ્યું છે, તેને જોઇને લાગે છે કે 30 જૂન સુધીમાં 15 હજાર બેડની જરૂરિયાત પડશે અને 31 જુલાઇ સુધીમાં 80 હજાર બેડની જરૂરિયાત પડશે. 31 જુલાઇ સુધીમાં 5 લાખથી વધારે કેસ થઇ શકે છે.
By 15 June, there'll be 44,000 cases & 6,600 beds will be needed. By 30 June we'll reach 1 lakh cases & 15,000 beds will be required. By 15 July there'll be 2.25 lakh cases & 33,000 beds will be needed. By 31 July, 5.5 lakh cases expected & 80,000 beds will be needed: Delhi Dy CM pic.twitter.com/F5iXDlgO7R
ડિઝાસ્ટર મેનેજમેન્ટની બેઠક બાદ ઉપરાજ્યપાલ અનિલ બેઝલે બપોરે સર્વદલીય બેઠક બોલાવી છે. આ બેઠકમાં કોરોનાની હાલની પરિસ્થિતિ અને તેને રોકવાના ઉપાયો પર ચર્ચા કરવામાં આવશે. આ બેઠકમાં આમ આદમી પાર્ટી, ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ સામેલ થશે.
ઉપ રાજ્યપાલે બદલ્યો કેજરીવાલનો આદેશ
સીએમ અરવિંદ કેજરીવાલે હોસ્પિટલોમાં માત્ર દિલ્હીના રહેવાસીઓના ઇલાજના આદેશને હજુ 24 કલાક પણ થયા નહોતાં ત્યાં જ રાજધાનના સુપર બોસ એટલે કે રાજ્યપાલે આ આદેશને પલટી નાંખ્યો હતો.