ગુજરાતમાં સંભવીત ત્રીજી લહેર પહેલા સરકારી હોસ્પિટલોમાં 3000 સ્ટાફનર્સની ભરતી માટે તૈયારીઓ, સ્ટાફનર્સની ભરતી પરીક્ષાનું રીઝલ્ટ વેબસાઇડ પર જાહેર, 3 ઓગષ્ટ સુધી તમામ જિલ્લા સ્તરે અસલ પ્રમાણપત્રની ચકાસણી
સરકારી હોસ્પિટલોમાં સ્ટાફનર્સ ભરતી મામલો
સેકેન્ડ વેવમાં હોસ્પિટલોમાં સ્ટાફનર્સની પડી હતી ઘટ
સંભવીત ત્રીજી લહેર પહેલા ભરતની તૈયારીઓ
ગુજરાતની સરકારી હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફની ભરતીનો મુદ્દો લાંબા સમયથી ચાલી રહ્યો છે. અને લાંબા સમયથી મોટાભાગનો સ્ટાફ આઉટ સોર્સિંગ દ્વારા લેવામાં આવતો હતો. જે બાદ કોરોનાની બીજી લહેરમાં નર્સ દ્વારા વિરોધ અને આંદોલન પણ કરવામાં આવ્યું હતું. અને હડતાળ પણ પાડવામાં આવી હતી. જે બાદ હવે એક સાથે 3 હજાર જેટલા નર્સ સ્ટાફની ભરતી કરાશે. સરકાર દ્વારા ભરતીનું પરિણામ વેબસાઈટ પર જાહેર કરાયું છે. આગામી 3 ઓગસ્ટના દિવસે તમામ જિલ્લા સ્તરે અસલી પ્રમાણપત્રની ખરાઈ કરવામાં આવશે.
સરકારે કેમ કરવી પડી ભરતી?
મહત્વનું છે કે, હાલમાં ગુજરાતમાં રોજના માત્ર 20થી 25 કેસ નવા આવી રહ્યા છે. પરંતુ બીજી લહેરમાં એકપણ હોસ્પિટલમાં જગ્યા નહોતી. અને હોસ્પિટલ બહાર દર્દીઓની લાઈન લાગી હતી. તો અંદરની તરફ પણ ડૉક્ટરો અને નર્સિંગ સ્ટાફની ઘટ જોવા મળી હતી. ત્યારે સંભવિત ત્રીજી લહેરના કારણે સરકાર અગાઉ જ જાગી ગઈ છે. અને વારંવાર નર્સ દ્વારા કાયમી ધોરણે ભરતીના આંદોલનથી સરકારે સરકારી હોસ્પિટલમાં આ ભરતી કરી છે. આશરે 3 હજાર નર્સિંગ સ્ટાફ ટૂંક સમયમાં સરકારી હોસ્પિટલમાં કાર્યરત બની જશે.