સરકારી નોકરીમાં મળતી અનમાતમાં મોદી સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમા દિવ્યાંગોને મળતી 4 ટકા અનામત મોદી સરકારે નાબૂદ કરી દીધી છે.
સરકારી નોકરીમાં 4 ટકા અનામત નાબૂદ
દિવ્યાંગોને મળતી ચાર ટકા અનામત થઈ નાબૂદ
સામાજિક કાર્યકરોએ આ મુદ્દે કર્યો વિરોધ
મોદી સરકારે સરકારી નોકરીઓમાં દિવ્યાંગોને જે નોકરી માટે જે 4 ટકા અનામત આપવામાં આવતી હતી તેને હટાવી દીધી છે. અધિકારીઓના કહેવા મુજબ સરકારે દિવ્યાંગજન અધિકાર અધિનિયનમ 2016ના નિયમમાં ફેરફાર કર્યા છે. આ નિયમ અંતર્ગત દિવ્યાંગોને રોજગારી માટે અનામત આપવામાં આવતી હતી.
હવે મેરિટ પ્રમાણે સિલેકશન
પોલીસ અને રેલ્વેની જેવી ભરતીઓમાં દિવ્યાંગોને 4 ટકા અનમાત આપવામાં આવતી હતી. જે હવે મોદી સરકાર દ્વારા બંધ કરી દેવામાં આવી છે. હવે પોલીસ તેમજ રેલ્વેની દરેક નોકરીમાંથી સરકાર દ્વારા અનામત હટાવી દેવામાં આવી છે. જેથી હવે દરેક કેટેગરીના લોકોનું મેરિટ પ્રમાણેજ નોકરી માટે સિલેકશન કરવામાં આવશે.
ચીફ કમીશનર સાથે ચર્ચા કરી નિર્ણય લેવાયો
કેન્દ્ર સરકાર દ્વારા હવે દરેક સેક્ટરના લડાઈ કર્મચારીઓની દરેક કેટેગરીની પોસ્ટની ભરતીમાં છૂટ આપવામાં આવશે. કેન્દ્ર સરકારે વિકલાંગો માટે ચીફ કમીશનર સાથે ચર્ચા કરીને દરેક કાર્યની પ્રકૃતિઓ ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
સામાજિક કાર્યકર્તાઓનો વિરોધ
જોકે આ મામલે સામાજિક કાર્યકર્તાઓનો સરકાર દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. NCPEDPના કાર્યકારી નિર્દેશક અરમાન અલગીએ કહ્યું કે આ નિર્ણયને કારમે દિવ્યાંગો સાથે અન્યાય થયો છે. સાથેજ તેમણે કહ્યું કે પોલીસ વિભાગમાં માત્ર ફિલ્ડ કર્મચારીઓજ નથી આવતા. જેથી કેન્દ્ર સરકારે અનામત ન હટાવી જોઈએ.
નિર્ણય પાછો ખેચવાની માગ
ઉલ્લેખનીય છે કે આ મામલે વિરોધકર્તાઓએ એવું પણ કિધું કે જે દિવ્યાંગો પહેલાથી નોકરી કરી રહ્યા છે. તેમના પર આ વસ્તુની નકારાત્મક અસર પડી શકે છે. એનડીઆરડીના મહાસચિવ મરલીધરને કહ્યું કે આ નિર્ણય જોગવાઈ , ભાવના અને ઉદ્રેશની વિરુદ્ધ છે. જેથી તેમણે આ નિર્ણયને પરત લેવા માટે માગ કરી છે.