અમદાવાદના સૌથી મોટા અને ભવ્ય કળા પર્વ 'અભિવ્યક્તિ' ના ત્રીજા એડિશનનો આવતી કાલથી એટલે કે 14મી ફેબ્રુઆરીથી ભવ્યાતિત શુભારંભ થશે. અમદાવાદીઓ 17 દિવસ સુધી કળાના દિગ્ગજો વડે પરફોર્મ થતા 79 કાર્યક્રમો મફત એન્ટ્રીનો લાભ મેળવીને માણી શકશે.
'અભિવ્યક્તિ' ના ત્રીજા એડિશનની અમદાવાદમાં શુક્રવારથી શરૂઆત
17 દિવસ સુધી ચાલશે 'અભિવ્યક્તિ' પર્વ
79 કાર્યક્રમો માટે મફત એન્ટ્રી
પહેલા દિવસની સાંજે 7:15 વાગે સાત તરી એકવીસ (7 x 3 = 21) નાટક ભજવવામાં આવશે. ગુજરાતી અભિનેતા પ્રતિક ગાંધી દિગ્દર્શિત સાત તરી એકવીસ (7 x 3 = 21) એ 7 મહિલા કલાકારો વડે ભજવાયેલી 7 અલગ અલગ મૉનોલૉગ નાટિકા છે.
મનહર ગઢિયા ગુજરાતી રંગભૂમિનું જાણીતું નામ છે. તેમના પ્રોડક્શન હેઠળ સાત તરી એકવીસ (7 x 3 = 21) નાટિકા સંગ્રહમાં 7 મહિલાઓ એકપાત્રીય "Desire" એટલે કે અભિલાષાના વિષય ઉપર ટૂંકી નાટિકા રજુ કરશે.
ગઢિયાના મતે આ નાટકના પ્રોડક્શન માટે એવા 7 વાર્તાઓ પસંદ કરાઈ છે જે હ્ર્દયસ્પર્શી છે. આ અભિનય માટે TV અને રંગભૂમિના કેટલાક જાણીતા ચહેરા અને કેટલાક કુશળ નવોદિતોને પસંદ કરવામાં આવ્યા છે. આ વાર્તાઓના દિગ્દર્શન માટે પ્રતિક ગાંધી એ સૌથી અનુરૂપ પસંદગી છે કારણ કે પ્રતિક વાર્તા અને અભિનયની સંવેદનશીલતાને પિછાણવા માટે જાણીતા છે.
પ્રતિક આ શ્રેણીની 3જી સીઝનમાં દિગ્દર્શન કરવા માટે ઉત્સુક છે. તેઓ જણાવે છે કે મૉનોલૉગ અભિનયનું એક કઠિન પાસું છે. કોઈ પણ બીજા અભિનેતાની ગેરહાજરીમાં દર્શકોનું સંપૂર્ણ ધ્યાન તમારી ઉપર આવી જાય છે. આમ અભિનેતાએ દર્શકો સાથે એક મજબૂત જોડાણ સાધવું પડે છે. તો અભિવ્યક્તિના તમામ કાર્યક્રમ વિશેની માહિતી મેળવવા માટે https://www.abhivyaktiart.org વેબસાઇટ તથા https://www.facebook.com/abhivyakticityart ફેસબુક પેજ પરથી જાણકારી મેળવી શકાય છે.
આ 7 મૉનોલૉગને તમામ મહિલા અભિનેત્રીઓને કારણે #womanologues નામ આપવામાં આવ્યું છે. આ મૉનોલૉગ અસ્તિત્વ, પોતાપણું, માતૃત્વ, પ્રેમ, જન્મ, કદર(સરાહના) જેવા સંવેદનશીલ વિષયો ઉપર આધારિત હશે.
આ કાર્યક્રમ પછી દરેક વ્યક્તિ પોતાના હ્રદયથી સ્ત્રીઓને કાંઇક જુદી જ રીતે મૂલવવાનું શરુ કરશે તેવો પ્રતિકને વિશ્વાસ છે.