શિવજીની પૂજામાં આપણે જળ દૂધ દહીં મધ ઘી સાકર ચંદન કેશર ભાંગ બિલિ એ વસ્તુઓનો ઉપયોગ કરીયે છીયે. આ ઉપરાંત ધતૂરાનું ફૂલ અને જવ તેમજ તલનો પણ ઉપયોગ પૂજામાં કરવામાં આવે છે.
જો તમે અનેક સમસ્યાઓથી ગ્રસ્ત હોય અને તેનું નિરાકરણ ઈચ્છતા હોય તો શ્રાવણ માસમાં ચંદન કેસર અને ભાંગ સહિત આ 10 વસ્તુોથી શિવજીનો અભિષેક કરો. જેથી તમારી તમામ સમસ્યાઓ દૂર થઈ જશે.
અનેક લોકો ભગવાન શિવ પ્રત્યે આશક્ત હોય છે પણ તેમની વિધિવિધાનથી કેવી રીતે પૂજા કરવાથી શું ફળ મળે તે વિશે અજ્ઞાત હોય છે. શાસ્ત્રોમાં શિવજીની કૃપા મેળવવા માટે અનેક પ્રકારના ઉપાય બતાવવામાં આવેલા છે.
શિવપુરાણ અનુસાર ઉપાય બતાવવામાં આવ્યા છે જેનાથી શિવની પરમ કૃપા પ્રાપ્ત થાય છે તે અહિં વર્ણવામાં આવ્યા છે. એ ઉપાયોને પૂર્ણ શ્રદ્ધા પવિત્રતાથી કરવાથી તમારી સમસ્યાઓ દૂર થઈ શકે છે.
શું છે આ વસ્તુઓનું મહત્વ: અત્તરઃ શિવજીને અત્તર ચઢાવવાથી સમાજમાં માનસન્માન મળે છે. કેસરઃ શિવજીને કેસર ચઢાવવાથી સ્વભાવમાં સૌમ્યતા આવે છે જળઃ શિવલિંગને જળ ચઢાવવાથી વાણીમાં સૌમ્યતા આવે છે. ઘીઃ શિવલિંગ પર ઘી ચઢાવવાથી અમારી શક્તિઓ વધે છે. સાકરઃ શિવજીને સાકર ચઢાવવાથી સુખ અને સમૃદ્ધિ આવે છે. ભાંગઃ શિવજીને ભાંગ ચઢાવવાથી આપણી નબળાઈઓ કે ખરાબીઓ દૂર થઈ જાય છે. મધઃ શિવલિંગને મધ ચઢાવવાથી વાણીમાં સંયમ અને મિઠાસ આવે છે. દૂધઃ દૂધ ચઢાવવાથી સ્વાસ્થ્ય યોગ્ય રહે છે. દહીં: સંયમ વધે છે અને સ્વભાવમાં ગંભીરતા આવે છે.
ઉપર જણાવેલ વસ્તુથી જો ભગવાન ભોળાનાથની પૂજા કરવામાં આવે તો મહાદેવ તમારા પર હમેંશાં ખુશ રહેશે અને તમારા તમામ દુઃખો દુર કરશે.