બંગાળી સિનેમાના જાણીતા અભિનેતા અભિષેક ચેટર્જીએ દુનિયાને અલવિદા કહી દીધુ છે. બંગાળી અભિનેતાની છેલ્લાં કેટલાંક દિવસોથી તબિયત સારી ન હતી. અભિષેક ચેટર્જીએ પ્રોસેનજીત ચેટર્જી અને સંધ્યા મુખર્જીની સાથે તેમની ફિલ્મી કારકિર્દી શરૂ કરી હતી. અભિનેતાના નિધન બાદ બંગાળી સિનેમાજગતમાં શોકનો માહોલ છવાયો છે.
બંગાળી સિનેમાના અભિનેતા અભિષેક ચેટર્જીનુ નિધન
અભિનેતા છેલ્લાં ઘણા દિવસોથી બિમાર હતા
બંગાળી સિનેમા જગતમાં શોકનો માહોલ
અભિષેક ચેટર્જીએ દુનિયાને અલવિદા કહી દીધુ
કોલકત્તાના બરાનગરમાં જન્મેલા અભિષેક ચેટર્જીનુ 57 વર્ષની ઉંમરે નિધન થતાં ઈન્ડસ્ટ્રીના સૌ કોઈ લોકો આઘાતમાં છે. તેઓ બંગાળી સિનેમાના એવા કલાકારોમાં સામેલ હતા, જેને હજી ઘણુ કરવુ હતુ. પણ એવુ કહેવાય છે ને કે જે થવાનુ હોય તેને કોણ રોકી શકે છે. છેલ્લાં ઘણા દિવસોથી તેઓ જીવન અને મોતની વચ્ચે યુદ્ધ લડી રહ્યા હતા. લાખો પ્રયાસો કર્યા હોવા છતાં આખરે તેઓ જીવનની જંગ હારી ગયા. અભિનેતાના નિધન પર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ શોક દર્શાવ્યો છે.
કારકિર્દીની શરૂઆત પથભોલ ફિલ્મથી કરી હતી
અભિષેક ચેટર્જીના ફિલ્મી ગ્રાફ પર નજર કરીએ તો તેમણે કારકિર્દીની શરૂઆત પથભોલ ફિલ્મથી કરી હતી. જેનુ નિર્દેશન તરૂણ મજુમદારે કર્યુ હતુ. આ ફિલ્મમાં સિનેમા લવર્સને તેનો અભિનય ખૂબ પસંદ આવ્યો અને ત્યારબાદ તેઓ દરેક વ્યક્તિની નજરમાં આવી ગયા. આ તો શરૂઆત હતી. ત્યારબાદ અભિષેક તેની મહેનત અને ક્ષમતાના આધારે સફળતાની નવી ઉંચાઈઓ સર કરવા લાગ્યા. પથભોલ બાદ અભિષેક ચેટર્જી ફિરિયે દાવ, જમાઈબાબુ દહન, નયનેર આલો, બારીવાલી, મધુર મિલન, માયેર આંચલ, આલો અને વાન જેવી ઘણી ફિલ્મોમાં જોવા મળ્યાં. એક્ટિંગની સાથે-સાથે અભિષેક અભ્યાસ-લખાણમાં પણ તેમનુ સારું કામ હતુ. અભિનેતાએ કોલકત્તા યુનિવર્સિટીના સેઠ આનંદરામ જયપુરિયા કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યુ હતુ. આશા છે કે દુ:ખના આ સમયમાં પ્રશંસકોનો પ્રેમ તેમના પરિવાર માટે હિંમત બનશે.