મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં 28 દિવસ વિતાવ્યા બાદ આખરે અભિષેક બચ્ચનનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. અભિષેક 11 જુલાઈએ કોરોના પોઝિટિવ આવ્યો હોવાથી હોસ્પિટલમાં એડમિટ કરાયો હતો. હવે તેનો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે અને તે ઘરે જવાની તૈયારી કરી રહ્યો છે. આ ખુશખબરી અભિષેકે પોતે સોશિયલ મીડિયા પર શેર કર્યાં છે.
અભિષેક બચ્ચન થયો કોરોના મુક્ત
28 દિવસ બાદ અભિષેકનો રિપોર્ટ નેગેટિવ આવ્યો
અભિષેકે સોશિયલ મીડિયા પર લખી આ વાત
અભિષેક બચ્ચને ટ્વિટ કરીને લખ્યું- વચન વચન હોય છે. આજે બપોરે મારો કોવિડ-19 ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. મેં તમને કહ્યું હતું કે હું આને હરાવી દઈશ. મારા અને મારા પરિવાર માટે પ્રાર્થના કરવા બદલ તમારો આભાર. નાણાવટી હોસ્પિટલના ડોક્ટર્સ અને નર્સિંગ સ્ટાફનો ખૂબ ખૂબ આભાર.
A promise is a promise!
This afternoon I tested Covid-19 NEGATIVE!!! I told you guys I’d beat this. 💪🏽 thank you all for your prayers for me and my family. My eternal gratitude to the doctors and nursing staff at Nanavati hospital for all that they have done. 🙏🏽 THANK YOU!
ઉલ્લેખનીય છે કે, અભિષેક અને અમિતાભને 11 જુલાઈએ હળવો તાવ અને શ્વાસ લેવામાં તકલીફ થતા હોસ્પિટલ એડમિટ કરાયા હતા. બંનેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદ એશ્વર્યા અને આરાધ્યામાં પણ કોરોનાના લક્ષણો દેખાતા હોસ્પિટલમાં એડમિટ કરાયા હતા.
એશ્વર્યા અને આરાધ્યા તો જલ્દી સાજા થઈને ઘરે પાછા જતાં રહ્યાં. ગયા અઠવાડિયે જ અમિતાભ બચ્ચનનો પણ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. અભિષેક તેનો રિપોર્ટ વારંવાર પોઝિટિવ આવવાને કારણે ઘણો જ પરેશાન હતો અને જલ્દી ઘરે જવા ઈચ્છતો હતો. તેણે ઘણાં દિવસ સુધી તેના કેર બોર્ડની તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરીને ઘરે જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. હવે અભિષેકને ઘરે જવાની મંજૂરી મળી ગઈ છે. જોકે, તેને થોડાં હોમ ક્વોરંટાઈનમાં રહેવું પડશે.