દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની દિકરી ઇશાના લગ્નમાં રાજકીય નેતાઓ અને ફિલ્મી હસ્તીઓ શામેલ થઇ હતી. તાજેતરમાં જ લગ્નના ઘણા ફોટોઝ અને વીડિયોઝ સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે જેમાંથી 2-3 વીડિયોઝ એવા વાયરલ થયા હતા જેમાં અમિતાભ-આમિર સિવાય શાહરૂખ અને ઐશ્વર્યા પણ મહેમાનને ભોજપ પીરસી રહ્યા હોય. જોકે ઘણા લોકોએ આ વીડિયોઝને લઇને પોતાની વિચારો વ્યકત કર્યા છે. જેના પર અભિષેક બચ્ચને જવાબ આપ્યો છે.
It is a tradition called "sajjan ghot". The brides family feeds the grooms family.
એક ટ્વિટર યૂઝરે સવાલ ઉઠાવ્યો હતો કે ઈશા અંબાણીના લગ્નમાં આમિર ખાન અને અમિતાભ કેમ ભોજન પીરસતા હતા. જેના જવાબમાં અભિષેકે ટ્વિટર લખ્યુ કે ''‘સજ્જન ઘોટ’ નામની પરંપરા હોય છે જેમાં કન્યાનો પરિવાર વરના પરિવારને જમાડે છે.''
જણાવી દઈએ કે ઈશાના લગ્ન 12 ડિસેમ્બરે મુંબઈમાં મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયામાં થયા હતા.
ઉદયપુર ખાતે થયું પ્રી-વેડિંગ સેલિબ્રેશન:
તાજેતરમાં ઉદયપુર ખાતે પ્રી-વેડિંગ સેલિબ્રેશન પાર્ટી યોજવામાં આવી હતી જ્યાં હોલિવૂડ પૉપ સ્ટાર બિયોન્સે ખાસ ભારત આવીને પરફૉર્મન્સ આપ્યુ હતુ. આ સિવાય સેલિબ્રેશનમાં હિલેરી કિલન્ટન બિઝનેસ ટાયકૂન હેન્રી ક્રેવિસ ભારતના ટોચ ઉદ્યોગપતિઓ રાજકારણીઓ તથા બોલિવૂડની અનેક હસ્તીઓ સહિત 1800 જેટલા મહેનાન હાજર રહ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે 150થી વધુ ચાર્ટર પ્લેન ઉદેપુર એરપોર્ટ પર ઉતર્યાં હતાં. આટલું જ નહીં વિદેશથી સીધી ફ્લાઈટ્સ ઉદેપુર આવી હતી. આટલું જ નહીં નવ ડિસેમ્બરના રોજ હોલિવૂડ સેન્સેશનલ બિયોન્સેને 15 કરોડ રૂપિયા આપ્યા હોવાની ચર્ચા છે. મહેમાનો માટે એરપોર્ટથી હોટલ સુધી લઈ જવા માટે 800થી વધુ લક્ઝૂરિયસ કાર્સ(જેમાં મર્સિડિઝ જગુઆર બીએમડબલ્યૂ ઓડી તથા વિન્ટેજ કાર) બુક કરવામાં આવી હતી.
- આ સિવાય અંબાણી પરિવારે અન્નસેવા કરી હતી જેમાં 5100 લોકોને ચાર દિવસ સુધી ત્રણ ટંકનું ખાવાનું ખવડાવ્યું હતુ. આ સિવાય નવ ડિસેમ્બરના રોજ ટ્રેડિશનલ ઈન્ડિયન પેઈન્ટિંગ્સ માટી-કામ તથા અન્ય સ્થાનિક કલાકારોની કળાના 108 સ્ટોલ્સ ખોલ્યા હતાં. મહેમાનોએ આ સ્ટોલ્સમાં ખરીદી હતી અને આમાંથી મળેલી ઈન્કમ દાનમાં આપવામાં આવી હતી.