સમગ્ર દેશમાં છેલ્લા કેટલાક સમયથી તણાવનો માહોલ છે. દરેક લોકોમાં અભિનંદનની ભારત વાપસીથી ખૂબ જ ખુશી છે. 14 ફેબ્રુઆરીએ પુલવામા હુમલામાં દેશના 40 થી વધારે જવાન શહીદ થયા હતા. એનો બદલો હિંદુસ્તાને પાકિસ્તાનની અંદર જઇને લીધો અને પાકિસ્તાનના ઘણા આતંકી અડ્ડાને ધ્વસ્ત કરી દીધા.
પરંતુ આ વચ્ચે હિંદુસ્તાનના સિપાહી વિંગ કમાન્ડર અભિનંદન પાકિસ્તાનમાં જઇ પહોંચ્યા જ્યારે હુમલા દરમિયાન ફાઇટર પ્લેન પાકિસ્તાનમાં જઇને પડ્યું.
બોલીવુડના ઘણા સિતારાઓએ સોશિયલ મીડિયા પર પોતાની ખુશી વ્યક્ત કરી અને વિંગ સમાન્ડરનું સ્વાગત કર્યું છે. તો બીજી બાજુ ફિલ્મ પ્રોડ્યૂસરર્સ આ ઘટના પર ફિલ્મ બનાવવાનું પ્લાનિંગ કરી લીધું છે.
પ્રોડ્યૂસર્સ અને ડાયરેક્ટર્સ દેશના આ હીરોને પડદા પર ઊતારવા ઇચ્છે છે. થોડાક દિવસો અગાઉ ઇન્ડિયન મોશન પિક્ચર્સ પ્રોડ્યૂસર્સ એસોસિએશનના અંધેરી કાર્યલયમાં જાણીતા પ્રોડ્યૂસર્સ પુલવામા, બાલકોટ, અભિનંદન જેવી ફિલ્મ ટાઇટલ રજિસ્ટર કરવા પહોંચ્યા હતા. કેટલાક મીડિયાના લોકોએ ફેસબુક પર લોકોને પ્રશ્ન કર્યો હતો કે જો અભિનંદન પર ફિલ્મ બનાવવામાં આવે તો એમા અભિનંદનનો રોલ કયા એક્ટર પર વધારે સૂટ થશે. જેમાં મોટાભાગના લોકોએ અક્ષય કુમારનું નામ અને હીડું નામ અજય દેવગણનું જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ બંને હીરોએ દેશભક્તિ પર ઘણી ફિલ્મો કરી છે.
સાથે જ અભિનંદનની મોટી મૂછો આ બંને એક્ટર પર ખૂબ સૂટ થશે. હવે જોવાનું એ છે કે જો અભિનંદન પર ફિ્લ્મ બને છે તો આપણા દર્શકો દ્વારા પસંદ કરાયેલા નામમાં કોણ હોય છે.