આ દરમિયાન અભિનંદન વર્તમાન એક નવા લૂક અને નવા જોશમાં જોવા મળ્યા. તમને જણાવી દઇએ કે, અભિનંદન વર્તમાને પાકિસ્તાની વિમાનોને મિગ-21 થી પાડી દીધુ હતુ.
#WATCH IAF Chief Air Chief Marshal BS Dhanoa flew a sortie with Wg Cdr Abhinandan Varthaman at Air Force Station Pathankot today in a MiG-21 trainer. It's the last sortie flown by IAF Chief in a fighter aircraft before retirement.They took off around 1130 hrs for a 30 min sortie. pic.twitter.com/retSoI3EVl
બાલાકોટ એરસ્ટ્રાઇક પછી ભારત અને પાકિસ્તાનની વચ્ચે તણાવના દરમિયાન વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાનનો એક મોટો ચહેરો બન્યા.
અભિનંદનના ભારત પરત આવ્યા પછી ફરી વિમાન ઉડાવવા પર સસ્પેન્સ રહ્યુ હતુ, ત્યારે એરફોર્સના ચીફ ધનોઆએ સ્પષ્ટ કર્યુ હતુ કે, ''મેડિકલ ફિટનેસ પછી અભિનંદન ફરી વિમાન ઉડાવી શકશે.'' ગત મહિનામાં IAF બેંગ્લોરના ઇન્સ્ટિટ્યૂટ ઑફ એરોસ્પેસ મેડિસિને અભિનંદન વર્તમાનને ફરી ઉડાન ભરવા માટે મંજૂરી આપી દીધી. આ મંજૂરી પહેલા તેમની મેડિકલ તપાસ કરવામાં આવી અને આ તપાસમાં તેઓ પાસ થતા તેમણે મંજૂરી મળી.
Pathankot: IAF Chief BS Dhanoa and Wing Commander Abhinandan Varthaman moving towards the MiG-21 before their sortie earlier today. #Punjabpic.twitter.com/y9uj0V47np
#WATCH Pathankot: IAF Chief Air Chief Marshal BS Dhanoa and Wing Commander Abhinandan Varthaman moving towards the MiG-21 before their sortie earlier today. #Punjabpic.twitter.com/Rz9KJVJVWi
Pathankot: Indian Air Force (IAF) chief Air Chief Marshal BS Dhanoa and Wing Commander Abhinandan Varthaman flew in the trainer version of the MiG-21 Type 69 fighter Aircraft, earlier today. This was also the last sortie of the IAF Chief in a combat aircraft. pic.twitter.com/D7r2MGNhDb
ઉલ્લેખનીય છે કે, 14 ફેબ્રુઆરીના પુલવામા થયેલા આંતકી હુમલામાં CRPFના 40થી વધારે જવાન શહીદ થયા હતા. ભારતે તેનો બદલો પાકિસ્તાનના બાલાકોટમાં એર સ્ટ્રાઇક કરીને લીધો. 27 ફેબ્રુઆરીના ભારતીય સીમામાં આવેલા પાકિસ્તાનના લડાકૂ વિમાનને મિગ-21 બાઇસનથી પીછો કરતા અભિનંદન LoC પાર કરી ગયા અને પાકિસ્તાની ફાઇટર પ્લેન F-16 ને પાડી દીધુ.
આ દરમિયાન તેમનુ વિમાન ક્રેશ થઇ ગયુ અને તેઓ પૈરાશૂટથી નીચે ઉતર્યા, પરંતુ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) ઉતરતા જ પાક સેનાએ તેમની ધરપકડ કરી. અભિનંદનને જ્યારે પાકિસ્તાની સેનાએ પક્ડ્યા ત્યારે તેમણે એકદમ સાહસથી પોતાનો પરિચય આપ્યો, જેના આજે પણ વખાણ થઇ રહ્યા છે. 15 ઓગસ્ટના દિવસે અભિનંદન વર્તમાનને સન્માનિત કરવામાં આવ્યા.