ત્રણ યુનિટને આ સન્માન 26 ફેબ્રુઆરીએ બાલાકોટમાં જૈશ-એ-અહમદના આતંકી ઠેકાણા પર એર સ્ટ્રાઈક કરવા અને 27 ફેબ્રુઆરીએ પાકિસ્તાનના લડાકૂ વિમાનોને હુમલામાં નિષ્ફળ કરવા માટે આપવામાં આવશે.
The number 9 squadron whose Mirage 2000 fighter aircraft carried out the Balakot aerial strikes on February 26 during 'Operation Bandar', also to be awarded unit citation. https://t.co/8yL6uWaWa9
73માં સ્વતંત્રતા દિવસના પ્રસંગે સરકારે બાલાકોટમાં એરસ્ટ્રાઈક કરનાર વાયુ સૈનિકો માટે વીરતા પુરસ્કારની જાહેરાત કરી હતી. વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાનને વીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમણે એર સ્ટ્રાઈકના આગલા દિવસે પાકિસ્તાનના F-16 વિમાનને તોડી પાડ્યું હતું. વીર ચક્ર યુદ્ધ સમયમાં કરેલા સાહસ બદલ આપવામાં આવનાર ત્રીજું સૌથી મોટું સૈન્ય સન્માન છે. પ્રથમ નંબરે પરમવીર ચક્ર અને બીજા નંબરે મહાવીર ચક્ર છે. કાશ્મીરમાં પાક વિમાનોની ઘુસણખોરી દરમિયાન ફાઈટર કન્ટ્રોલરની જવાબદારી સંભાળનાર સ્ક્વાડ્રન લીડર મિંટી અગ્રવાલને યુદ્ધ સેવા મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ વખતે વીરતા પુરસ્કાર મેળવનારાઓમાં મિંટી એક માત્ર મહિલા હતી.
Wing Cdr Abhinandan Varthaman’s 51 Squadron to be awarded unit citation by IAF Chief Air Chief Marshal RKS Bhadauria for thwarting Pakistani aerial attack&shooting down a Pakistani F-16 on Feb 27. Award to be received by commanding officer Group Captain Satish Pawar (file pic) pic.twitter.com/lQjf4dLzT6
કાશ્મીરમાં પુલવામાં 14 ફેબ્રુઆરીના CRPF ના કાફલા પર થયેલા હુમલાની જવાદબારી આતંકી મસૂદ અઝહરના સંગઠને લીધી હતી. આ હુમલામાં 40થી વધારે જવાનો શહીદ થયા હતા. આ પછી ભારતીય વાયુસેનાએ બાલાકોટ સ્થિત જૈશ ના આતંકી ઠેકાણાઓ પર એર સ્ટ્રાઇક કરી હતી.
જે પછી પાકિસ્તાનની F-16 વિમાનથી લડતા વિંગ કમાન્ડર અભિનંદન મિગ-21 બાઇસન વિમાન દુર્ઘટના શિકાર થઇ ગયુ અને તે પાકિસ્તાની સીમામાં જઇને પડ્યુ. જે પછી પાકિસ્તાને તેમણે પકડી લીધા અને 1 માર્ચના જિનિવા સંધિ હેઠળ તેમને મુક્ત કરવામા આવ્યા હતા.