અભીજીતે વધુમાં કહ્યું, સંગીતમાં મોટી તાકાત છે. આ એક કલાકારને સ્ટાર બનાવે છે. પછી તે દેવાનંદ, રાજકપુર હોય કે પછી રાજેશ ખન્ના
લાઈવ સેશનમાં અભીજીતે અક્ષયકુમારના સ્ટારડમની શરૂઆત કરી
મારા સંગીતે અક્ષય કુમારને સ્ટાર બનાવ્યાં છે : અભીજીત
તેમણે અક્ષયકુમારને ગરીબોના મિથુન ચક્રવર્તી પણ ગણાવ્યાં
અભીજીત ભટ્ટાચાર્ય બોલીવુડના એવા દિગ્ગજ ગાયક કલાકારોમાંથી એક છે, જેના ગીતના આજે પણ લોકો દિવાના છે. અભીજીત એક સારા સિંગર તો છે જ.. આ સાથે તેઓ પોતાના આખી બોલીના સ્વભાવથી જાણીતા છે. હાલમાં, અભીજીત એક લાઈવ સેશનમાં જોવા મળ્યાં હતા. જેમાં તેમણે દાવો કરતા કહ્યું કે, તેમણે અક્ષયકુમારને સ્ટાર બનાવ્યાં છે. આ સાથે જ તેમણે અક્ષયકુમારને ગરીબોના મિથુન ચક્રવર્તી પણ ગણાવ્યાં છે.
મારા સંગીતે અક્ષય કુમારને સ્ટાર બનાવ્યાં: અભીજીતનો દાવો
લાઈવ સેશનમાં અભીજીતે અક્ષયકુમારના સ્ટારડમની શરૂઆત કરી. તેમણે કહ્યું, મારા સંગીતે અક્ષય કુમારને સ્ટાર બનાવ્યાં છે. જ્યારે તેમને લોન્ચ કરવામાં આવ્યાં ત્યારે તેઓ સ્ટાર ન હતા. તેમને પહેલાં ગરીબોના મિથુન ચક્રવર્તી તરીકે ઓળખવામાં આવતા હતા. જેવી રીતે મિથુન ચક્રવર્તીને ગરીબોના અમિતાભ બચ્ચન માનવામાં આવતા હતા.
સંગીત કલાકારને બનાવે છે સ્ટાર
અભીજીતે વધુમાં કહ્યું, સંગીતમાં મોટી તાકાત છે. આ એક કલાકારને સ્ટાર બનાવે છે. પછી તે દેવાનંદ, રાજકપુર હોય કે પછી રાજેશ ખન્ના. અક્ષય કુમાર ફિલ્મ ખેલાડી (1992) બાદ સ્ટાર બન્યાં. મેં આ ફિલ્મના ગીત 'વાદા રહા સનમ'ને ગાયુ હતું. ત્યારબાદ અક્ષયકુમારની ઘણી ફિલ્મોના ટાઈટલમાં ખેલાડી શબ્દ આવ્યો. ઘણાં કલાકારો પહેલાં સ્ટાર ન હતા, પરંતુ મારા અવાજે તેમને સ્ટાર બનાવી દીધા.
ફિલ્મ ખેલાડી વર્ષ 1992માં રિલીઝ થઈ
મહત્વનું છે કે, ફિલ્મ ખેલાડી વર્ષ 1992માં રિલીઝ થઈ હતી. આ એક મલ્ટી-સ્ટારર ફિલ્મ હતી. જેમાં જોની લીવર, શક્તિ કપુર, આયશા ઝુલ્કા સહિત ઘણાં સ્ટાર દેખાયા હતા. અબ્બાસ મસ્તાનની જોડીએ આ ફિલ્મને નિર્દેશિત કરી હતી. આ ફિલ્મમાં અમુક ગીતો હતા, જેમાં 'વાદા રહા સનમ' આજે પણ લોકોના મોંઢે સાંભળવા મળેછે. આ ગીતને અભીજીત ભટ્ટાચાર્યએ ગાયુ હતું. જતિન લલીતની જોડીએ પણ આ ગીતને હિટ કરાવવામાં મોટું યોગદાન આપ્યું હતું.