નોબલ પૂરસ્કાર વિજેતા અભિજિત બેનર્જી (Abhijit Banerjee)એ સંશોધિત નાગરિકતા કાયદાના વિવાદને લઇને ભાર આપતા કહ્યું કે, તેનાથી ત્રણ પડોશી દેશોથી બિન મુસ્લિમોને નાગરિકતા આપવાની પ્રક્રિયા ઝડપી થશે. ગત વર્ષે પત્ની એસ્થર ડુફ્લો અને અર્થશાસ્ત્રી માઇકલ ક્રેમરની સાથે અર્થશાસ્ત્ર માટે નોબલ પૂરસ્કાર (Nobel Prize)મેળવનારા અભિજિત બેનર્જી કહ્યું કે, ''આપણે નિર્ણય લેવા માટે એવી સંસ્થાઓને ડિજાઇન કરવામાં ખૂબજ સાવધાની રાખવાની જરૂર છે જે લોકોને મોટા પ્રમાણમાં પ્રભાવિત કરી શકે છે.''
અભિજિત બેનર્જીએ સંશોધિત નાગરિકતા કાયદા પરના વિવાદ પર આપ્યું નિવેદન
બેનર્જીએ કહ્યું, એવી સંસ્થાઓને ડિજાઇન કરવામાં સાવધાની રાખવાની જરૂર છે જે લોકોને મોટા પ્રમાણમાં પ્રભાવિત કરી શકે
હું દરેક વસ્તુઓ વિશે ચિંતિત છું, મને લાગે છે કે અધિકારનો દુરપયોગ થઇ શકે છે: અભિજિત બેનર્જી
અભિજિત બેનર્જીએ એનડીટીવીના ડૉ પ્રણય રૉયની સાથે વાતચીતમાં કહ્યું કે, '' મને લાગે છે, ત્યાં દરેક પ્રકારના મુદ્દા છે... મારે એક વાત કહેવાની છે જે મને મારા ફીલ્ડ વર્કના અનુભવને પગલે ચિંતિત કરે છે. જ્યારે કોઇની પાસે મોટી શક્તિ હોય છે, ત્યારે એ વ્ચક્તિ નક્કી કરી શકે છે કે આપ આ સૂચી અથવા એ સૂચીમાં હશો કે નહીં... અને જો તેઓ કહી દે છે કે, 'મને નથી લાગતું કે આપ એક યોગ્ય નાગરિક છો' અને ધર્મ વિશે ભૂલી જાઓ...''
તેઓેએ કહ્યું કે '' ઘણી વસ્તુઓ છે જેના વિશે આપ ચિતિંત થઇ શકો છો. હું માત્ર એટલું જ કહી રહી છું કે, આ એક વાત છે. જો હું કોઇ બોર્ડર પાસેના જિલ્લામાં રહેતો, તો મને એ વિચારથી ડર લાગતો. અને ભલે હું ત્યાંનો રહેવાસી હોવ, આપ માત્ર એ તથ્યને જાણો છો કે કોઇ આવશે અને કહેશે કે, 'જુઓ હું આ લિસ્ટને બનાવી રહ્યો છું અને હું તમારા નામની આગળ શંકાસ્પદ લગાવી શકું છું.' મારો અર્થ છે કે અંતે તો આ એક બોર્ડર પાસેનો જિલ્લો છે.'' નોબલ પૂરસ્કાર વિજેતાએ કહ્યું, ''મારો કહેવાનો અર્થ છે કે ત્યાં શાસનનો પડકાર ખૂબ જ મહત્વપૂર્ણ છે''.
અભિજિત બેનર્જીએ કહ્યું કે ત્યાં શું શાસન ખૂબ જ વધારે શક્તિશાળી છે અને કોઇ વ્યક્તિના હાથોમાં વસ્તુઓ નક્કી કરવાની શક્તિ છે. તેઓએ કહ્યું કે,'' હું દરેક વસ્તુઓ વિશે ચિંતિત છું. મને લાગે છે કે અધિકારનો દુરપયોગ થઇ શકે છે. આપણે ચિંતા કરવી જોઇએ, રાજ્યના ઢાંચો બનાવવાને લઇને જ્યાં એક તરફ લોકોની પાસે ગૂમાવવા માટે ઘણું બધુ છે, જો આપ ભારતના નાગરિક નથી અને કોઇ અન્ય દેશ આપને નથી ઇચ્છતો... તો મને લાગે છે કે એ બિંદુ પર પાવર સ્ટ્રક્ચર બની રહ્યા છે જે આપને ચપેટમાં લઇ લે છે. આપને અલગ-અલગ પ્રકારે નીકાળવામાં આવી શકાય છે. મને લાગે છે કે, આ શાસનની એક બહુ જ ભયાનક સમસ્યાઓના રૂપમાં છે.
તેઓએ કહ્યુ કે ''કેટલાક લોકોની પાસે નિર્ણય લેવાની શક્તિ છે, જે આપના જીવન પર મોટી અસર બતાવી શકે છે... આપણે આ નિર્ણયો લેવાની સંસ્થાઓને ડિજાઇન કરવામાં ખૂબ જ સાવધાની રાખવાની જરૂર છે. તેને સંસદમાં તાત્કાલિક રૂપે ન બનાવવો જોઇએ, આ ચિંતાનો વિષય છે.
ભારતમાં નાગરિકતા (સંશોધન) કાયદામાં પહેલીવાર ભારતની નાગરિકતામાં ધર્મને પણ આધાર બનાવવામાં આવ્યો છે. સરકારનું કહેવું છે કે તેનાથી ત્રણ મુસ્લિમ દેશોના લઘુમતિઓને નાગરિકતા આપવામાં મદદ મળશે, જો તેઓ ધાર્મિક કટ્ટરતાને કારણે 2015 પહેલા ભારત આવી ગયા હતા. ટીકાકારોનું કહેવું છે કે, આ મુસ્લિમોની સાથે ભેદભાવ કરવા અને બંધારણના ધર્મનિરપેક્ષ સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરવા માટે બનાવવામાં આવ્યો છે.