23000 કરોડ બેન્ક ફ્રોડમાં સીબીઆઈએ ગઈકાલે અગ્રવાલની કરી હતી ધરપકડ
બન્ને તપાસનીસ એજન્સીઓ કરી રહી છે બેન્ક ફ્રોડની તપાસ
23000 cr ના બેન્ક ફ્રોડ કેસની તપાસ ઈડી અને સીબીઆઈ ચલાવી રહી છે. મુખ્ય આરોપી એબીજી શિપયાર્ડના એમડી ઋષિ અગ્રવાલની ધરપકડના એક દિવસ બાદ હવે ઈડીએ પણ આરોપીની સુરત અને દહેજ ખાતેની 2747 કરોડની સંપત્તિ જપ્ત કરી કરી લીધી છે જેમાં ગુજરાત અને મહારાષ્ટ્રમાં ખેતીની જમીન, પ્લોટ, રહેણાંકના મકાનો સહિતની બીજી ચીજો સામેલ છે. ભારતના અત્યાર સુધીના સૌથી મોટા બેન્ક ફ્રોડમાં મોટી કાર્યવાહી કરતા સીબીઆઈએ ગુજરાત સ્થિત શિપિંગ કંપની ABG Shipyard Ltdના ચેરમેનની ધરપકડ કરી છે. હાલમાં સીબીઆઈ 22,842 હજાર કરોડ બેન્ક ફ્રોડની કરી રહી છે. આ પહેલા સીબીઆઈ આ કેસમાં તેમની સામે લુકઆઉટ નોટિસ જારી કરી ચૂકી છે.
ED attaches shipyards, agri lands, bank deposits worth over Rs 2,747 cr in money laundering case against ABG Shipyard Ltd: Statement
28 બેન્કોમાં 22,842 કરોડનો ફ્રોડ
સીબીઆઈ સૂત્રોએ કહ્યું કે 28 બેન્કોને 22,842 કરોડની ઠગવા બદલ સુરત સ્થિત ABG Shipyardના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરની ધરપકડ કરવામાં આવી છે.
2012થી 2017ની વચ્ચે 28 બેન્કોને લગાડ્યો 22,842 કરોડ રૂપિયાનો ચૂનો
એબીજી શિપયાર્ડે 2012થી 2017 વચ્ચે 28 બેન્કોના જૂથને 22,842 કરોડ રૂપિયાનો ફ્રોડ આચર્યો હતો જે થોડા સમય પહેલા બહાર આવ્યો હતો. સીબીઆઈ આ કેસની તપાસ કરી રહી છે. આ બેંકોમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઇ), આઇડીબીઆઇ અને આઇસીઆઇસીઆઇનો સમાવેશ થાય છે.