રઝ્ઝાકે પાકિસ્તાનની ન્યૂઝ ચેનલ પર કહ્યું હતું કે પાકિસ્તાન પાસે એવું ટેલેન્ટ છે જેની તુલના ન કરી શકાય.
પૂર્વ પાકિસ્તાની ક્રિકેટનું નિવેદન
ઈન્ડિયન ક્રિકેટ ટીમને લઈને આપ્યું આવી નિવેદન
ભારત પાસે પાકિસ્તાન જેવું ટેલેન્ટ નહીં: રઝ્ઝાક
પાકિસ્તાનના પૂર્વ ઓલરાઉન્ડર અબ્દુલ રઝ્ઝાકે હાલમાં જ એક એવું નિવેદન આપ્યું છે જેને સાંભળ્યા બાદ તમારૂ હસવું નહીં રોકાય. ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં ભારતીય ટીમ આઈસીસી રેન્કિંગમાં પાકિસ્તાનથી આગળ છે. ટીમ ઈન્ડિયા સામે આજ સુધી આઈસીસી વન ડે વિશ્વ કપમાં પાકિસ્તાનની ટીમ કોઈ મેચ નથી જીતી શકી. પહેલા આઈસીસી ટી 20 વિશ્વ કપની ટ્રોફી ભારતે પાકિસ્તાને હરાવીને જ જીતી હતી. પહેલી આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલમાં પણ ભારતીય ટીમ જ પહોંચી હતી. પાકિસ્તાન દરેક મામલામાં ટીમ ઈન્ડિયા કરતા પાછળ છે તેમ છતાં પાકિસ્તાનના પૂર્વ ઓલરાઉન્ડર એવું નિવેદન આપી રહ્યા છે જેને સાંભળીને દરેકને હસવું આવી જશે.
રઝ્ઝાકે પાકિસ્તાનના ન્યૂઝ ચેનલ પર કહ્યું, "પાકિસ્તાનની પાસે એવું ટેલેન્ટ છે જેની તુલના જ ન કરી શકાય. ટીમની પાસે એવી ઉપલબ્ધીઓ છે જે કોઈ પણ પ્રેશર વાળા મુકાબલામાં મેદાન પર પર્ફોર્મ કરી શકે છે. એવુ ટેલેન્ટ ભારતીય ટીમ પાસે બિલકુલ નથી."
આમ તો સમજવાની વાત એ છે કે આખરે કયા પ્રેશરમાં મુકાબલાની વાત તે કરી રહ્યા છે. કારણ કે ભારતીય ટીમની સાથે આઈસીસી વિશ્વ કપના મુકાબલાને તે પ્રેશર વાળો મુકાબલો માને છે તો અત્યાર સુધી પાકિસ્તાનની ટીમ ભારતની સામે એક પણ મેચ તો જીતી જ નથી.
રઝ્ઝાકનું નિવેદન
"મને કો નથી લાગતું કે પાકિસ્તાનની ટીમ સામે ભારતીય ટીમ મુકાબલો કરી શકે છે. પાકિસ્તાનમાં જે પ્રકારનું ટેલેન્ટ છે તે એકદમ જ અલગ છે. મને નથી લાગતું કે આ યોગ્ય છે કે ભારત અને પાકિસ્તાનની ટીમ સામે મેચ નથી રમાઈ રહી. મારા હિસાબથી તો એવું થવું જોઈએ કે આખી દુનિયાને ખબર પડે કે જે ટેલેન્ટ પાકિસ્તાન પાસે છે તે ભારતીય ટીમની પાસે નથી."