પ્રધાનમંત્રી મોદીએ તેમના મુસ્લિમ મિત્ર અબ્બાસને લઈને સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચાઓ ચગી છે. પીએમ મોદીએ પોતાની માતા હીરાબાના 100માં જન્મદિવસ પર બ્લોગ લખીને અબ્બાસનો ઉલ્લેખ કર્યો હતો.
પીએમ મોદીએ માતાના જન્મદિવસ પર બ્લોગ લખ્યો
બ્લોગમાં મુસ્લિમ મિત્ર અબ્બાસનો કર્યો હતો ઉલ્લેખ
સોશિયલ મીડિયા પર અબ્બાસને લઈને ચર્ચાઓ ઉભી થઈ
પ્રધાનમંત્રી મોદીએ તેમના મુસ્લિમ મિત્ર અબ્બાસને લઈને સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચાઓ ચગી છે. પીએમ મોદીએ પોતાની માતા હીરાબાના 100માં જન્મદિવસ પર બ્લોગ લખીને અબ્બાસનો ઉલ્લેખ કર્યો હતો.
તેમણે કહ્યું હતું કે, બાળપણમાં એક રીતે જોવા જઈએ તો, અબ્બાસ અમારા ઘરે રહીને જ અભ્યાસ કરતા. અમારા બધાની માફક મા અબ્બાસનું પણ ખૂબ ધ્યાન રાખતી. ઈદ પર મા, અબ્બાસ માટે તેમની પસંદના પકવાન બનાવતી હતી.
मां, ये सिर्फ एक शब्द नहीं है, जीवन की वो भावना है, जिसमें स्नेह, धैर्य, विश्वास, कितना कुछ समाया है।
मेरी मां, हीराबा आज 18 जून को अपने सौवें वर्ष में प्रवेश कर रही हैं, उनका जन्म शताब्दी वर्ष प्रारंभ हो रहा है। मैं अपनी खुशी और सौभाग्य साझा कर रहा हूं। https://t.co/4YHk1a59RD
પીએમ મોદીએ પોતાના જે મિત્ર અબ્બાસની વાત કરી, તેને લઈને લોકોમાં પણ ખૂબ ચર્ચા ચગી છે. અબ્બાસ હાલ ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાં પોતાના દિકરા પાસે રહે છે. તેમને બે દિકરા છે. નાનો દિકરો ઓસ્ટ્રેલિયા, તો મોટો દિકરો ગુજરાતના કાસીમ્પા ગામમાં રહે છે. અબ્બાસ સરકારમાં ક્લાસ 2 કર્મચારી તરીકે કામ કરતા હતા, તે ફુડ એન્ડ સપ્લાઈ વિભાગમાં હતા. થોડા મહિના પહેલા જ તેઓ નિવૃત થયા છે.
પીએમ મોદીએ પોતાના બ્લોગમાં અબ્બાસનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, મા હંમેશા બીજા લોકોને ખુશ જોઈને ખુશ રહેતા હતા. ઘરમાં જગ્યા ભલે ઓછી હોય,. પણ તેમનું દિલ બહું મોટુ હતું. તેના ઉદાહરણ તરીકે પીએમે જણાવ્યું હતું કે, અમારા ઘરથી થોડે દૂર એક ગામ હતું. જ્યાં મારા પિતાજીના અત્યંત નજીક મુસ્લિમ મિત્ર રહેતા હતા, તેમના દિકરાનું નામ હતું અબ્બાસ.
અબ્બાસને ઘરે લાવ્યા હતા પિતાજી- મોદી
તેમણે આગળ લખ્યું હતું કે, દોસ્તના કસમયે મોત બાદ પિતાજી નિ:સહાય અબ્બાસને અમારા ઘરે લઈ આવ્યા હતા. એક રીતે જોવા જઈએ તો, અબ્બાસ અમારા ઘરે રહીને ભણ્યા હતા. અમારા બધાની માફક અબ્બાસનું પણ માતા એટલુ જ ધ્યાન રાખતા, જેટલું બાકીના બાળકોનું રાખતા. ઈદ પર માતા, અબ્બાસ માટે પસંદગીના પકવાન બનાવતા. એટલુ જ નહીં, તહેવારના સમયે આજૂબાજૂના બાળકો અમારા ઘરે આવીને ભોજન કરતા. તેમને પણ મારી માતાના હાથનું ખાવાનું ખૂબ પસંદ આવતું.
માતાના જન્મદિવસ પર કહી હતી આ વાત
પ્રધાનમંત્રીએ પોતાના બ્લોગ પર આગળ લખ્યું હતું કે, અમારા ઘરની આજૂબાજૂમાં જ્યારે કોઈ સાધુ સંત આવતા, ત્યારે માતા તેને ઘરે બોલાવીને ભોજન ચોક્કસથી કરાવતી. જ્યારે તેઓ નિકળતા ત્યારે માતા પોતાના માટે નહીં પણ પોતાના ભાઈ બહેનો માટે આશીર્વાદ માગતી તેમને કહેતા કે, મારા સંતાનોને આશીર્વાદ આપો, કે બીજાના સુખે સુખી અને બીજાના દુ:ખે દુ:ખી થાય. મારા બાળકોમાં સેવા ભાવ અને ભક્તિ આવે, તેવા આશીર્વાદ આપો.