અમદાવાદ: શહેરના કાલુપુર રેલ્વે સ્ટેશન પાસેથી 3 થી 4 મહિનાની બાળકી મળી આવતા ચકચાર મચી હતી. બાળકીના માતા-પિતા કોણ છે? ક્યાં છે? તેની હજુ સુધી કોઇ ભાળ થઇ નથી.
આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર મંગળવારે હરિદ્વારથી આવતી યોગ એક્સપ્રેસના S 9 કોચમાંથી 3 થી 4 મહિનાની બાળકી મળી આવી હતી. આ ઘટનાની જાણ થતા રેલ્વે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. બાળકીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. ત્યારે હવે રેલ્વે પોલીસે બાળકીને તરછોડી જનાર માતા-પિતાના વિરૂદ્ધમાં ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
ઉલ્લેખનીય છે કે દિકરીઓના જન્મને પ્રોત્સાહન આપવા માટે સરકાર તરફથી અનેક પ્રકારની યોજનાઓ બહાર પાડવામાં આવી છે. ત્યારે સરકારના પ્રયત્નો નિષ્ફળ જતાં હોય એવું લાગે છે. કારણ કે જે રીતે દિકરીઓને તરછોડવામાં આવે છે.. તે જોતા તો લાગે છે કે દિકરી હોવુ એ ગુનો છે.
આ અગાઉ પણ રાજ્યના વિવિધ શહેરોમાં બાળકી તડછોડી જવાના અનેક કિસ્સા પ્રકાશમાં આવ્યા હતા. સુરતના પાંડેસરમાં નવજાત બાળકી મળી આવી હતી ડિસાના ગાયત્રી મંદિર વિસ્તારમાંથી વડોદરામાં પણ મંદિરના પગથિયે 14 મહિનાની બાળકી મળી આવી હતી જ્યારે ગાંધીનગરમાં વૈષ્ણદેવી સર્કલ પાસે રીક્ષામાંથી બાળકી મળી આવવાનું બહાર આવ્યું છે.