ધુરંધર બેટ્સમેનોમાં સામેલ દક્ષિણ આફ્રિકાના પૂર્વ ક્રિકેટર એબી ડિવિલયર્સ આઈપીએલમાં વાપસી કરી રહ્યાં છે. આ વખતે તેની ભૂમિકા કઈક અલગ હશે. એવુ કહેવાઈ રહ્યું છે કે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરમાં તેમને નવી જવાબદારી મળી શકે છે. ડિવિલિયર્સે આઈપીએલમાં ઘણા વર્ષો સુધી આરસીબીનું પ્રતિનિધિત્વ કર્યુ.
દક્ષિણ આફ્રિકાના પૂર્વ ક્રિકેટર એબી ડિવિલયર્સ આઈપીએલમાં કરશે વાપસી
ડિવિલિયર્સે આઈપીએલમાં ઘણા વર્ષો સુધી આરસીબીનું પ્રતિનિધિત્વ કર્યુ
એબી ડિવિલયર્સ આરસીબીના મેન્ટરની ભૂમિકામાં જોવા મળશે
ડિવિલયર્સ આઈપીએલની 15મી સિઝનમાં ફરીથી જોવા મળશે
દક્ષિણ આફ્રિકા ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન એબી ડિવિલયર્સે આઈપીએલની પહેલાની સિઝન બાદ ક્રિકેટના દરેક ફોર્મેટમાંથી સંન્યાસની જાહેરાત કરી દીધી હતી. જેના પરથી આ સ્પષ્ટ થયુ હતુ કે તેઓ આઈપીએલના આગામી સત્રમાં રમશે નહીં. તેમ છતા ડિવિલયર્સ આઈપીએલની 15મી સિઝનમાં ફરીથી જોવા મળવાના છે. ઈન્ડિયન પ્રીમિયર લીગમાં તેની વાપસી એક ખેલાડી તરીકે નહીં પરંતુ આરસીબીમાં તેમને નવી જવાબદારી મળી શકે છે.
એબી ડિવિલયર્સ RCBના મેન્ટરની ભૂમિકામાં જોવા મળશે
મીડિયા રિપોર્ટસ મુજબ, એબી ડિવિલયર્સ આરસીબીના મેન્ટરની ભૂમિકામાં જોવા મળી શકે છે. એવુ કહેવામાં આવી રહ્યું છે કે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ફ્રેન્ચાઈઝી ટૂંક સમયમાં આ વાતની જાહેરાત કરશે. દક્ષિણ આફ્રિકાના આ પૂર્વ ક્રિકેટરે આરસીબીની સાથે લાંબો સમય વિતાવ્યો છે. આરસીબીના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને એબી ડિવિલયર્સની મિત્રતા પણ જગજાહેર છે. એવુ માનવામાં આવી રહ્યું છે કે ડ્રેસિંગ રૂમમાં તેમના રહેવાથી ખેલાડીઓનું મનોબળ વધશે અને તેઓ પોતાના અનુભવ પણ સાથે શેર કરશે.
2011માં RCB સાથે જોડાયા હતા ડિવિલયર્સ
એબી ડિવિલયર્સે વર્ષ 2008માં આઈપીએલમાં ડેબ્યુ કર્યુ હતુ. તેઓ 2010 સુધી દિલ્હી કેપિટલ્સનો ભાગ રહ્યાં છે. ત્યારબાદ 2011માં તેઓ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સાથે જોડાયા હતા. ત્યારબાદ તેઓ 2021 સુધી આરસીબી માટે રમતા રહ્યાં છે. ડીવિલયર્સનો સમાવેશ આઈપીએલના સૌથી સફળ ખેલાડીઓમાં કરવામાં આવે છે.