ઇન્ડિયન પ્રીમિયર લી (IPL 2019)માં નિરાશાજનક પ્રદર્શનને કારણે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પ્લે ઓફની દોડમાંથી બહાર થઇ ચૂકી છે. પરંતુ સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ અંતિમ લીગ મેચમાં આરસીબીએ પોજિટીવ નોટની સાથે ટૂર્નામેન્ટ સમાપ્ત કરી. સ્ટાર ખેલાડી એબી ડિવિલિયર્સ અને વિરાટ કોહલીએ આ સિઝનમાં પોતાના અભિયાનને આગળ લઇ જવાની ભરપૂર કોશિશ કરી, પરંતુ અસફળ રહ્યા.
ઇન્ડિયન પ્રીમિયર લી (IPL 2019)માં નિરાશાજનક પ્રદર્શનને કારણે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પ્લે ઓફની દોડમાંથી બહાર થઇ ચૂકી છે. પરંતુ સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ અંતિમ લીગ મેચમાં આરસીબીએ પોજિટીવ નોટની સાથે ટૂર્નામેન્ટ સમાપ્ત કરી. સ્ટાર ખેલાડી એબી ડિવિલિયર્સ અને વિરાટ કોહલીએ આ સિઝનમાં પોતાના અભિયાનને આગળ લઇ જવાની ભરપૂર કોશિશ કરી, પરંતુ અસફળ રહ્યા. છતા તેમણે ખેલ ભાવના દર્શાવી છે.
8 વર્ષ પહેલા જ્યારે એબી ડિવિલિયર્સ અને વિરાટ કોહલી એક સાથે આવ્યા હતા ત્યારથી સતત બંને વચ્ચેના સંબંધો વધુ મજબૂત બન્યા છે. આ ફ્રેન્ચાઇઝી માટે બંને સ્ટાર બેસ્ટમેન છે. પરંતુ ગત વર્ષે હરાજીમાં માર્કસ સ્ટોઇનિસને આરસીબીએ ખરીદ્યો હતો. ત્યારથી માનવામાં આવી રહ્યું છે કે વિરાટ અને સ્ટોઇનિસની વચ્ચેની મધુરતા ઘણી વધી છે.
આ વિશે જ્યારે આરસીબી ઇનસાઇડર અને વીડિયો જૉકી મિસ્ટર નાગે વિરાટ કોહલી સાથે વાત કરતા કહ્યું કે સ્ટોઇનિસની ટીમમાં આવવાથી એબી અને કોહલી વચ્ચેની મિત્રતા કંઇક ઓછી થઇ ગઇ છે. મિસ્ટર નાગે મજાકમાં કહ્યું, સ્ટોનિસના આવવાથી એવું લાગી રહ્યું છે કે વિરાટ અને એબીના સંબંધોમાં ખટરાગ ઉભો થયો છે. વિરાટ કોહલી તેમની વાતચીત વચ્ચે જ કાપીને કહે છે, એબી અને હું રામ-લખન જેવા છીએ. અમે ભાઇ છીએ. કોઇ અમને અલગ ન કરી શકે. સ્ટોઇનિસ પણ એક શાનદાર વ્યક્તિ છે. પરંતુ એબી અને મારા વચ્ચે ઘણું છે. અમે અલગ-અલગ સ્તર પર એકબીજાને કનેક્ટ કરીએ છીએ. અમે એકબીજાને સમજીએ છીએ.
આ પહેલા વિરાટ અને એબીને પોતાના ફેન્સ માટે એક ભાવુક સંદેશ આપ્યો હતો, આ સંદેશ આપના માટે છે, કેમકે આપ ત્રણ કલાક એક એવી મેચ માટે પણ બેઠા છો જે વોશ આઉટ થઇ ગઇ છે. છતા આપ લોકો સ્ટેડિયમમાં બેઠા છો અને અમને ચીયર કરી રહ્યા છો. આ વાત અમારા દિલ અને દિમાગમાં હંમેશા રહેશે. આટલા શાનદાર ફેન્સ માટે થેક્સ. વિરાટ કોહલીએ કહ્યું, આરસીબીને હોમ ગ્રાઉન્ડ પર સનરાઇઝર્સ હૈદરાબાદનો સામનો કરવાનો હતો. અમે આ મેચમાં જીત માટે રમીશું.