આયુષ શર્મા ફિલ્મ અંતિમ: ધ ફાઈનલ ટ્ર્રુથમાં વિલનના રોલમાં દેખાયા. આયુષ શર્માનો અંદાજ તેની પ્રથમ ફિલ્મ લવયાત્રીથી બિલ્કુલ અલગ છે. તેમણે અંતિમમાં પોતાના સારા ટ્રાન્સફોર્મેશનથી સૌ કોઈને હેરાન કરી નાખ્યાં છે.
આયુષ શર્માએ એક ઈન્ટરવ્યુમાં સલમાનનો ઉલ્લેખ કરી કહી આ વાત
લોકોનું માનવુ છે કે ભાઈજાનના કારણે મારી પાસે બધુ છે, પરંતુ એવુ કશુ નથી
હવે હું દરેક બાબતને સકારાત્મક દ્રષ્ટિકોણથી જોતા શિખી ગયો છુ
સલમાનના કારણે મારી પાસે બધુ છે, એવુ કશું જ નથી: આયુષ શર્મા
એક સારા અભિનેતા હોવાની સાથે મોટાભાગના લોકો તેમને સલમાન ખાનના જીજાજી તરીકે ઓળખે છે. અભિનેતાના નજીકના લોકોનું માનવુ છે કે આયુષ શર્માની પાસે જે કંઈ પણ છે, તે તેના ભાઈજાનના કારણે છે. પરંતુ એવુ કશું નથી. આયુષ શર્માએ સલમાન ખાનની બહેન અર્પિતા ખાન સાથે લગ્ન કર્યા હતા. જેના કારણે લોકો તેમને ટ્રોલ કરી રહ્યાં છે. જોકે, અભિનેતાએ સમય મુજબ નકારાત્મકતાનો સામનો કરતા શીખી લીધુ છે. તેઓ હવે આ બધી બાબતને સકારાત્મક ભાવથી જોવે છે. અભિનેતાએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે લોકો તેમને કયા દ્રષ્ટિકોણથી જોવે છે.
યાર, મારી પાસે પણ પૈસા છે: આયુષ શર્મા
આયુષ શર્મા લોકોની ટીકાથી વધુ મજબૂત થયા છે. તેમણે બોલીવુડ બબલને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું, મારા જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યાં છે. નાનુ મોટું કામ કર્યા બાદ પણ હું મોંઘી કાર ખરીદુ છુ તો લોકો કહે છે કે સલમાન ખાને આપી હશે. લોકોને લાગે છે કે આયુષે જે કઈ પણ પ્રાપ્ત કર્યુ છે, તે સલમાન ખાનની મહેરબાનીના કારણે છે. પરંતુ આવુ કશુ નથી. આયુષ કહે છે, યાર, મારી પાસે પણ પૈસા છે. હવે મેં મારી ટીકાઓને સકારાત્મક દ્રષ્ટિકોણથી જોવાનું શિખી લીધુ છે.
નકારાત્મકતાને સકારાત્મક દ્રષ્ટિકોણથી જોવુ છુ
આયુષ શર્મા વધુમાં કહે છે, મારી ટીકા થતાં હું ખૂબ ખુશ થઉ છુ. વિચારું છુ કે હું ટીકાકારોને ખોટા સાબિત કરીને બતાવીશ. જ્યારે મારી સાથે આવુ પ્રથમ વખત બન્યું ત્યારે હું વિચારતો હતો કે મેં કઈ ભૂલ કરી છે? પછી મને થયુ કે ટીકા સારી છે. મને મારા પર્ફોમન્સને વધુ બતાવવાની તક મળે છે.