કોરોના સંકટ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાંગી પડેલી અર્થવ્યવસ્થામાં નવો જીવ ફૂંકવા માટે 20 લાખ કરોડના પેકેજનું એલાન કર્યું છે. પ્રધાનમંત્રી મોદીએ આને આત્મનિર્ભર ભારત યોજના નામ આપ્યું છે. રોડ અને પરિવહન મંત્રી નિતિન ગડકરીએ કહ્યું કે, પ્રધાનમંત્રીએ જે એલાન કર્યું છે, તેની અસર 6 મહિના બાદ દેખાશે.
PMએ જે એલાન કર્યું છે, તેની અસર 6 મહિના બાદ દેખાશે
ગડકરીએ કહ્યું કે, ભારતમાં આત્મનિર્ભર બનવાની તમામ તાકાત
ભારતને મેન્યુફેક્ચરિંગ બહ બનાવવા પર હવે સરકારનું ફોકસ
ખાનગી ન્યૂઝ ચેનલના કાર્યક્રમમાં નિતિન ગડકરીએ કહ્યું કે, લૉકડાઉન વચ્ચે ધીરે ધીરે આર્થિક ગતિવિધિઓ શરૂ થઇ રહી છે. જોકે આપણે કોરોના સાથે જીવવાની આદત પાડવી પડશે. દેશના લોકો હવે કોરોનાને ગંભીરતાથી લઇ રહ્યા છે. માસ્ક પહેરીને ઘરેથી નિકળી રહ્યા છે. સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરી રહ્યા છે.
ગડકરીએ કહ્યું કે, ભારત આત્મનિર્ભર બની શકે છે. તેમણે ઉદાહરણ આપતા કહ્યું કે, પહેલા 1200 રૂપિયા લીટર સેનિટાઈઝર મળતું હતું, જે હવે દેશમાં તૈયાર થયા બાદ 160 રૂપિયામાં લીટર મળી રહ્યું છે જે પીપીઈ કિટ માટે ભારત સમગ્ર રીતે આયાત પર નિર્ભર હતું. આજે હવે ઇમ્પોર્ટની સ્થિતિમાં છે. વેન્ટિલેટર દેશમાં તૈયાર કરવામાં આવી રહ્યા છે.
કોરોના સંકટ વચ્ચે અવસરઃ ગડકરી
ગડકરીએ કહ્યું કે, કોરોનાના કારણે અનેક પડકારો સામે આવ્યા છે, અને ભારત પાસે પ્રતિભાની કમી નથી. તે પ્રતિભાને યોગ્ય પ્લેટફોર્મ આપવાની જરૂર છે. આ કડીમાં હવે સરકારનો ડિફેન્સ પ્રોડક્ટને ઇમ્પોર્ટ કરવાનો પ્લાન કર્યો છે. જેનાથી ડિફેન્સમાં ઓટોમેટિક FDIને 49 ટકાખી વધારીને 74 ટકા કરી દેવાયો છે.
ક્યાં સુધી લૉકડાઉન?
ગડકરીએ કહ્યું કે, કેન્દ્ર સરકાર રાજ્ય સરકારો સાથે વાત કરી રહી છે. ખુદ પ્રધાનમંત્રી આ મામલાને જોઈ રહ્યા છે. ધીરે ધીરે છૂટ આપવામાં આવી રહી છે. કેન્દ્રીય મંત્રી દરરોજ પ્રધાનમંત્રીને ફીડબેક આપી રહ્યા છે. હવે અંતિમ નિર્ણય ગૃહ મંત્રાલય અને પીએમ મોદીને લેવાનો છે.