સુરક્ષા દળોએ પુલવામા જિલ્લાના દ્રબગામ વિસ્તારમાં આતંકવાદી છુપાયા હોવાની માહિતીના આધારે સર્ચ ઓપરેશન કરી આતંકીઓને ઠાર કર્યા
કાશ્મીરમાં વીર જવાનોએ 3 આતંકીઓને ઠાર કર્યા
ત્રણેય આતંકીઓ લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા હતા
2 AK-47 રાઈફલ અને એક પિસ્તોલ અને દારૂગોળો મળ્યો
કાશ્મીરમાં વીર જવાનોએ 3 આતંકીઓના ઢીમ ઢાળી દીધાનું સામે આવ્યું છે. માર્યા ગયેલા ત્રણેય આતંકીઓ લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા હતા. એન્કાઉન્ટર બાદ શરૂ કરાયેલી સર્ચ ઓપરેશનમાં બે એકે-47 રાઈફલ અને એક પિસ્તોલ સહિત હથિયાર અને દારૂગોળો મળી આવ્યો છે. માર્યા ગયેલા ત્રણ આતંકવાદીઓમાંથી એકની ઓળખ જુનૈદ શિરગોજરી તરીકે થઈ છે, જે 13 મેના રોજ શહીદ થયેલા રિયાઝ અહેમદની હત્યામાં સામેલ હતો.
આઈજીપી કાશ્મીર વિજય કુમારે શું કહ્યું ?
આઈજીપી કાશ્મીર વિજય કુમારે કહ્યું કે, સુરક્ષા દળોએ પુલવામા જિલ્લાના દ્રબગામ વિસ્તારમાં આતંકવાદી છુપાયા હોવાની માહિતીના આધારે સર્ચ ઓપરેશન શરૂ કર્યું. સર્ચ ઓપરેશન દરમ્યાન સુરક્ષાદળો પર છુપાયેલા આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. જે બાદ સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી હતી. સુરક્ષાદળોની કાર્યવાહીમાં એક પછી એક કુલ ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા. માર્યા ગયેલા ત્રણ આતંકવાદીઓ સ્થાનિક છે, જેઓ આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા હતા. તેમાંથી એકની ઓળખ જુનૈદ શિરગોજરી તરીકે થઈ છે, જે 13 મેના રોજ શહીદ થયેલા રિયાઝ અહેમદની હત્યામાં સામેલ હતો.
#PulwamaEncounterUpdate: Other two killed terrorists have been identified as Fazil Nazir Bhat & Irfan Ah Malik of Pulwama district. Incriminating materials, arms & ammunition including two AK 47 rifles and one pistol recovered: IGP Kashmir
આઈજીપી કાશ્મીર વિજય કુમારે જણાવ્યું કે, અન્ય બે આતંકવાદીઓની ઓળખ પુલવામા જિલ્લાના ફાઝીલ નઝીર ભટ અને ઈરફાન મલિક તરીકે થઈ છે. સુરક્ષા દળોએ ઘટનાસ્થળેથી બે એકે-47 રાઈફલ અને એક પિસ્તોલ સહિત ગુનાખોરીની સામગ્રી, હથિયારો અને દારૂગોળો જપ્ત કર્યો છે.
શનિવારે કુલગામમાં સુરક્ષાદળોએ એક આતંકવાદી ઠાર માર્યો હતો
નોંધનીય છે કે, જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં શનિવારે સુરક્ષા દળો સાથેની અથડામણમાં એક આતંકવાદી માર્યો ગયો હતો. પોલીસ પ્રવક્તાએ કહ્યું કે, કુલગામના ખાંડીપોરા વિસ્તારમાં એક આતંકવાદી છુપાયો હોવાની નક્કર માહિતીના આધારે સુરક્ષા દળો દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. સર્ચ ઓપરેશન દરમ્યાન છુપાયેલા આતંકીએ સુરક્ષા દળો પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. જવાબી કાર્યવાહીમાં સુરક્ષાદળોના ગોળીબારમાં આતંકી માર્યો ગયો.
આતંકવાદી રસિક અહેમદ ગની હોવાનું ખૂલ્યું
પ્રવક્તાએ કહ્યું કે, સુરક્ષા દળોએ પહેલા એન્કાઉન્ટર સ્થળની આસપાસ ફસાયેલા નાગરિકોને બહાર કાઢવાની ખાતરી કરી. તેમણે કહ્યું કે એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા આતંકવાદીની ઓળખ રસિક અહેમદ ગની તરીકે થઈ છે, જે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનનો સભ્ય છે. કુલગામ નિવાસી રસિક અહેમદનો મૃતદેહ એન્કાઉન્ટર સ્થળ પરથી મળી આવ્યો હતો.