ઉત્તરાખંડમાં આમ આદમી પાર્ટી ચૂંટણીને લઈને ઘમી સક્રિય જોવા મળી રહી છે. કેજરીવાલે મફત 300 યુનિટ વીજળીની વાત કરી છે. જેને લઈને જનતામાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ઉત્તરાખંડમાં આમ આદમી પાર્ટી સક્રિય
ચૂંટણી પહેલા કરી મફત વીજળીની જાહેરાત
મફત વીજળીને લઈને જનતામાં ઉત્સાહનો માહોલ
આમ આદમી પાર્ટી ઉત્તરાખંડમાં ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓ કરી રહી છે. કેજરીવાલ દ્વારા એવી જાહેરાત પણ કરી દેવામાં આવી છે કે જો ઉત્તરાખંડમાં આપની સરકાર જીતશે તો 300 યૂનિટ સુધી મફત વીજળી આપવામાં આવશે. હાલ તેઓ ઉત્તરાખંડમાં એ લોકોનું રજિસ્ટ્રેશન કરી રહ્યા છે. જે લોકો મફતમાં વીજળી ઈચ્છી રહ્યા છે.
7 દિવસમાં 1,39,000 લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું
પાર્ટી દ્વારા કહેવામાં આવ્યું છે કે કુલ 7 દિવસમાં 1,39,000 લોકોએ ફ્રી વિજળી માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જે પણ લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે તેમને પાર્ટી દ્વારા ગેરેન્ટી કાર્ડ પણ આપવામાં આવ્યું છે. ચૂંટણીને લઈને કેજરીવાલની પાર્ટી દ્વારા પૂરી તૈયારીઓ કરી લેવામાં આવી છે. જેમા કાર્યકર્તાઓમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
10 હજાર કાર્યકર્તાઓ કામે લાગ્યા
પાર્ટીનું કહેવું છે કે આવનારા દિવસોમાં વધુ લોકો પાર્ટીમાં જોડાશે. મફત વિજળીને લઈને પાર્ટીનું લક્ષ્ય છે કે તેઓ ઉત્તરાખંડમાં બધીજ જગ્યાએ વીજળી પહોચાડી શકે. આ કામ માટે 10 હજાર જેટલા કાર્યકર્તાઓ કામે લાગ્યા છે. જેમના દ્વારા ઘરે ઘર લોકોને મફત વીજલી આપવામાં આવશે.
જનતામાં ઉત્સાહ જોવા મળ્યો
આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા રવિન્દ્ર ગુજરાને કહ્યું કે કેજરીવાલ તરફથી જે 300 યુનીટ ફ્રીની જાહેરાત કરવામાં આવી છે. તેને લઈને ઉત્તરાખંડની જનતામાં ઉત્સાહ જોવા મલી રહ્યો છે. આ માટે લોકોએ રજિસ્ટ્રેશન પણ મોટા પ્રમાણમાં કરાવ્યું છે. સાથેજ આવનાર સમયમાં પાર્ટીના કાર્યકર્તાઓ ઘરે ઘરે જઈને લોકોને ફ્રી વિજળી કાર્ડ આપીને જાગૃત કરશે.
મોટા પ્રમાણમાં લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું
ઉલ્લખનીય છે કે 7 દિવસમાં લોકોએ મોટા પ્રમાણમાં મફત વીજળી માટે રજિસ્ટ્રેશન કરાવ્યું જેથી કહી શકાય કે પાર્ટી માટે ચૂંટણી લડવા આ મુખ્ય મુદ્દો છે. જોકે માત્ર ઉત્તરાખંડજ નહી પરંતુ બધાજ રાજ્યોમાં જુદી જુદી પાર્ટીઓ દ્વારા મફત વસ્તુઓ આપવાની વાત કરવામાં આવી છે. જે કોરોનાકાળમાં લોકો માટે સૌથી વધારે જરૂરી છે.